×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વધુ છ મહિના મફત રાશન મળશે, સરકારે PM ગરીબ કલ્યાણ અન્ન યોજના લંબાવી



26મી માર્ચ, 2022 શનિવાર

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કેબિનેટ બેઠક બાદ 'PM ગરીબ કલ્યાણ અન્ન યોજના'ને વધુ છ મહિના લંબાવવાની જાહેરાત કરી છે. આ યોજના 31 માર્ચે સમાપ્ત થઈ રહી હતી હવે સપ્ટેમ્બર સુધી મફત દેશના કરોડો જરૂરિયાતમંદોને રાશન મળશે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, 'ભારતની શક્તિ દેશના દરેક નાગરિકની શક્તિમાં રહેલી છે. આ શક્તિને વધુ મજબૂત કરવા માટે સરકારે સપ્ટેમ્બર 2022 સુધી વધુ છ મહિના માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. દેશના 80 કરોડથી વધુ લોકો પહેલાની જેમ તેનો લાભ લઈ શકશે.


 


શું છે PMGKAY :

આ સરકારી સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને 1003 લાખ ટન અનાજનું વિતરણ કરશે, જેનો અંદાજિત ખર્ચ 3.4 લાખ કરોડ રૂપિયા છે. કોરોના મહામારી શરૂ થયા બાદ ગરીબ પરિવારોને મફત અનાજ આપવા માટે સરકારે માર્ચ, 2020માં આ યોજના શરૂ કરી હતી. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ 80 કરોડથી વધુ લાભાર્થીઓને મફત રાશન આપવામાં આવ્યું હતું.

આ યોજના હેઠળ દર મહિને વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજનાના પાંચ તબક્કાઓ ચલાવવામાં આવ્યા છે. ખાદ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 759 લાખ ટન અનાજનું વિતરણ કર્યું છે જેમાં 80 કરોડથી વધુ લોકોને ફાયદો થશે.