અજિત પવારને બેવડો ઝટકો! બે દિવસમાં બે ધારાસભ્યો શરદ પવારની છાવણીમાં પરત ફર્યા

અજિત પવારને બેવડો ઝટકો! બે દિવસમાં બે ધારાસભ્યો શરદ પવારની છાવણીમાં પરત ફર્યા

મહારાષ્ટ્રની એકનાથ સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર અને NCPને તોડી નાખનાર અજિત પવારને બે દિવસમાં બેવડો ફટકો પડ્યો છે. કથિત રીતે સામે આવ્યું છે કે, શપથ ગ્રહણ સમારોહમાં તે દિવસે જ હાજર રહેલા એનસીપીના સાંસદ શરદ પવાર કેમ્પમાં પરત ફર્યા બાદ બીજા દિવસે બે ધારાસભ્યો પણ અજિત પવારને છોડીને શરદ પવારની છાવણીમાં પરત ફર્યા છે. આ ધારાસભ્યોમાં સાતારાના ધારાસભ્ય મકરંદ પાટીલ અને ઉત્તર કરાડના ધારાસભ્ય બાલાસાહેબ પાટીલનો સમાવેશ થાય છે. જુનિયર પવારના કેમ્પમાં NCPના 40 ધારાસભ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

અજિત પવારને ઝટકા સમાન!

એનસીપીના બંને હરીફ જૂથોએ એકબીજાના નેતાઓ સામે પગલાં લેવાની જાહેરાત કરી છે અને બીજી પાર્ટીના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે સ્પીકર સમક્ષ ક્રોસ પિટિશન દાખલ કરી છે. અજિત પવારના શપથ સમયે રાજભવનમાં હાજર રહેલા શિરુર સાંસદ અમોલ કોલ્હેએ પણ સોમવારે કહ્યું કે, તેઓ શરદ પવારના જૂથમાં પાછા જઈ રહ્યા છે.

શરદ પવારે કરી હતી કાર્યવાહી

શરદ પવારે રાજ્યસભાના સાંસદ પ્રફુલ્લ પટેલ અને લોકસભાના સભ્ય સુનિલ તટકરેને તેમના ભત્રીજાના જૂથ વિરુદ્ધ પ્રથમ કડક કાર્યવાહીમાં પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેના જવાબમાં અજિત પવાર જૂથે NCPના પ્રદેશ અધ્યક્ષ તરીકે જયંત પાટીલની જગ્યાએ તટકરેની નિમણૂક કરી છે. 

Share: