મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાવો, CMના પુત્ર શ્રીકાંત શિંદેએ રાજીનામું આપવાની ચીમકી આપી

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાવો, CMના પુત્ર શ્રીકાંત શિંદેએ રાજીનામું આપવાની ચીમકી આપી
Image : Twitter

મહારાષ્ટ્રના રાજકારણમાં હંમેશા ઉથલપાથલ થતી રહે છે ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને બીજેપી વચ્ચે ખટરાગ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. સીએમ એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદેએ તો પોતાના પદ પરથી રાજીનામું આપવાની ચીમકી આપી હતી.

 હું મારા પદ પરથી રાજીનામું આપવા તૈયાર : શ્રીકાંત શિંદે

શ્રીકાંત શિંદેએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે ડોમ્બિવલીના કેટલાક નેતાઓ તેમના સ્વાર્થી રાજકારણ માટે બીજેપી-શિંદે જૂથ માટે અવરોધો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેણે કહ્યું કે મને કોઈ પદની ઈચ્છા નથી. ભાજપ-શિવસેનાનું વરિષ્ઠ નેતૃત્વ જે પણ ઉમેદવાર નક્કી કરશે તેને હું સમર્થન આપીશ. તેમણે વધુમાં કહ્યું કે અમારો ઉદ્દેશ્ય બીજેપી-શિવસેના ફરીથી ગઠબંધન કરવાનો છે અને કેન્દ્રમાં ભાજપ સાથે મળીને સરકાર બનાવવાનો છે. આ દિશામાં અમે જે કામ કરી રહ્યા છીએ અને જો કોઈ તેમનો વિરોધ કરે, કોઈ નારાજ હોય ​​અને ગઠબંધનમાં ગરબડ હોય તો હું મારા પદ પરથી રાજીનામું આપવા તૈયાર છું.

શું છે સમગ્ર મામલો ?

ભાજપના કાર્યકર્તા નંદુ જોશી વિરુદ્ધ એક મહિલાની છેડતી કરવા બદલ FIR નોંધવામાં આવી છે. આ અંગે નંદુ જોશી અને ઘણા કાર્યકરોએ આરોપ લગાવ્યો કે ડોમ્બિવલી માનપાડા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવા પાછળ શિવસેનાનો હાથ છે. બીજી તરફ બુધવારે ડોમ્બિવલીમાં રાજ્યકક્ષાના મંત્રી રવિન્દ્ર ચૌહાણના નેતૃત્વમાં ભાજપના પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન શિવસેનાને અલગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સિવાય બીજું કારણ એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપે ગુરુવારે લોકસભા ચૂંટણીમાં 48 સીટો માટે પ્રભારીઓના નામની જાહેરાત કરી છે.

Share: