શું નીતીશ કુમાર આજે ભાજપ સાથે છેડો ફાડશે

શું નીતીશ કુમાર આજે ભાજપ સાથે છેડો ફાડશે

નવી દિલ્હી, તા. 09 ઓગષ્ટ 2022, મંગળવાર

બિહારના રાજકારણમાં જે ઘમાસાણ શરૂ થયું છે તેને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. JDU અને બીજેપી ગઠબંધન તૂટવાના આરે છે. અહેવાલ પ્રમાણે એનડીએ સરકારના ટકી રહેવાની શક્યતાઓ ઘણી ઓછી છે. વાસ્તવમાં ભાજપના નેતાઓનું માનવું છે કે, નીતિશ કુમારને ખૂબ જ બેદરકારીથી સંભાળવામાં આવ્યા હતા અને તેમને હળવામાં લીધા હતા જેના પરિણામે આજે આ સ્થિતિ સામે આવી છે.

ગઈકાલે રાત્રે ગૃહમંત્રી અમિત શાહ, ધર્મેન્દ્ર પ્રધાન અને જેપી નડ્ડાની આગેવાની હેઠળના તમામ ટોચના ભાજપના નેતાઓ આ પરિસ્થિતિને દૂર કરવા અને ગઠબંધનને બચાવવા નીતિશ કુમારના સંપર્કમાં હતા. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે, તમામ પ્રાદેશિક પક્ષોનો સફાયો થઈ જશે. તેનાથી નીતીશ ખરેખર નારાજ થયા હતા. રાજ્ય એકમના અધ્યક્ષ ઉમેશ કુશવાહાના નિવેદન પર ગઈકાલની ટિપ્પણીમાં આ પ્રતિબિંબિત થાય છે. બીજી તરફ સ્પીકર વિજય કુમાર સિન્હા પણ ક્યારેય ગૃહની અંદર કે બહાર નીતિશનું અપમાન કરવાની કોઈ તક છોડતા ન હતા.

બિહાર એકમના પ્રમુખ ડો.સંજય જયસ્વાલે પણ નીતિશને ટાર્ગેટ કરવાની આદત બનાવી હતી અને તેઓ તેમની સાથે દુર્વ્યવહાર કરતા હતા. પાર્ટી નેતૃત્વ પર ભાગ્યે જ કોઈ નિયંત્રણ સાથે નીતિશની ટીકા કરવાની વાત આવે ત્યારે દરેક વ્યક્તિ મુક્ત હતા. બે DCM પણ બિનઅસરકારક હતા. આરસીપી સિંહને પ્રમોટ કરવામાં ભાજપ નેતૃત્વની ભૂમિકા એવી હતી જેને નીતિશે ક્યારેય માફ ન કરી.

Share: