×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હું રાજનીતીમાં આવીશ તો મારા મિત્ર પીકે મારી સાથે જ હશે : નરેશ પટેલ


રાજકોટ, તા. 27 અપ્રિલ 2022, બુધવાર

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાતની રાજનીતિમાં પગ મૂકવાની તૈયારીઓ નરેશ પટેલ કરી રહ્યા છે પરંતુ ગઈકાલે પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં ન જોડાવાના એલાન બાદ હવે નરેશ પટેલના રાજકીય ભવિષ્યનું શું થશે તેના પર મોટો સવાલ ઊભો થયો છે. 

પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નથી જોડાવવાના આ સમાચાર આવતા જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. કારણ કે ખોડલધામના ચેરમને નરેશ પટેલ અને પ્રશાંત કિશોર સાથે મળીને ગુજરાતમાં કોંગ્રેસની કમાન સંભાળવાના હતા પરંતુ PKના કોંગ્રેસમાં ન જોડાવાના એલાન બાદ નરેશ પટેલ પણ ક્યાંક સલવાયા હોય તેવો ઘાટ સર્જાયો છે. 

આજે ખોડલધામના ટ્રસ્ટીઓની બેઠક યોજાઈ હતી આ દરમિયાન નરેશ પટેલે સૂચક સંદેશ આપ્યો છે. નરેશ પટેલે કહ્યું હતું કે, પ્રશાંત કિશોર મારા સારા મિત્ર છે તેથી હું રાજનીતીમાં આવીશ તો મારા મિત્ર પીકે મારી સાથે જ હશે.