સરકારી કર્મચારીઓ સ્કૂલના બાળકો જેવા થઈ ગયા છે, હંમેશા રજાઓ પર નજર રાખે છે : મદ્રાસ હાઈકોર્ટ

સરકારી કર્મચારીઓ સ્કૂલના બાળકો જેવા થઈ ગયા છે, હંમેશા રજાઓ પર નજર રાખે છે : મદ્રાસ હાઈકોર્ટ

image : Wikipedia 

મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં કહ્યું હતું કે સરકારી કર્મચારીઓ અને શાળાના બાળકો વચ્ચે કોઈ અંતર નથી. કોર્ટે કહ્યું કે સરકારી કર્મચારીઓ શાળાના બાળકો જેવા થઈ ગયા છે, જે હંમેશા સરકારી રજાઓ અને કામમાંથી મુક્તિ પર નજર રાખે છે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચના જસ્ટિસ જી.આર. સ્વામીનાથને આંબેડકર જયંતિ પર જાહેર કરાયેલ જાહેર રજા સંબંધિત અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટના જસ્ટિસ જી.આર. સ્વામીનાથને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આંબેડકર જયંતિ નિમિત્તે નાગરિકોની ભાવનાઓને માન આપવા માટે 14 એપ્રિલને રાષ્ટ્રીય રજા તરીકે જાહેર કરી છે. તેમણે કહ્યું કે ડૉ. બી.આર. આંબેડકર પોતે ઈચ્છતા હશે કે લોકો વધુને વધુ કામ કરે.

કઈ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી?

કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના કર્મચારી યુનિયન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર મદુરાઈ હાઈકોર્ટની બેન્ચે આ ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે સરકારી કર્મચારીઓ શાળાના બાળકો જેવા છે. તેમના માટે, રજાઓ અને કામમાંથી મુક્તિ મેળવવી હંમેશા સ્વીકાર્ય રહ્યું છે. આ અરજીમાં, કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના કર્મચારી સંઘે માંગ કરી હતી કે તેમને 14 એપ્રિલ, 2018 ના રોજ કરેલા કામ માટે બમણું ભથ્થું મળવું જોઈએ. જોકે હાઇકોર્ટ વતી આ પ્રોજેકટના ડાયરેક્ટરને આર્થિક લાભ આપવા સૂચના આપવામાં આવી હતી.

‘અમે લાગણીઓ અને પ્રતીકોમાં માનીએ છીએ’

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે ડૉ. આંબેડકર એવા વ્યક્તિ હતા, જે ઈચ્છતા હતા કે લોકો તેમની જન્મજયંતિ પર રજા જાહેર કરવાને બદલે સખત મહેનત કરે. અમે લાગણીઓ અને પ્રતીકોની સિસ્ટમનું પાલન કર્યું. તેઓ કાર્યક્ષમતા કરતાં શિષ્ટાચારમાં માનતા હતા. કોર્ટે કહ્યું કે દેશ પ્રતીકવાદ અને ભાવનાઓની ખૂબ કાળજી રાખે છે. કોર્ટે કહ્યું, “કાર્યક્ષમતા કરતાં શિષ્ટાચાર આપણી ઓળખ છે. ભારત રત્ન શ્રી એ.પી.જે. અબ્દુલ કલામની જેમ તેમણે (આંબેડકરે) કહ્યું હશે કે મારી મૃત્યુ પર રજા જાહેર ન કરશો, તેના બદલે એક વધારાનો દિવસ કામ કરો, જો તમે મને પ્રેમ કરો છો તો. 

Share: