×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજસ્થાનઃ ખાટુ શ્યામજી મંદિરમાં નાસભાગ, 3ના મોત, 2 ઘાયલ


-  આ દુર્ઘટના પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ દુ:ખ વ્યક્ત કર્યું છે

સીકર, તા. 08 ઓગષ્ટ 2022, સોમવાર

રાજસ્થાનના સીકર જિલ્લામાં સ્થિત ખાટુ શ્યામજી મંદિરમાં નાસભાગના કારણે 3 લોકોના મોત થઈ ગયા છે અને આ દુર્ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે. આજે સવારે 5:00 વાગ્યાની આસપાસ મંદિરમાં માસિક મેળા દરમિયાન આ નાસભાગ મચી હતી. ઘાયલોને જયપુરની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે.

પોલીસને જણાવ્યા પ્રમાણે લગભગ સવારે 5:00 મંદિરના પ્રવેશ દ્વાર પર નાસભાગ મચી ગઈ હતી. ગેટ ખુલવાની રાહ જોતા મંદિરની બહાર મોટી ભીડ એકઠી થઈ હતી. ગેટ ખોલતાની સાથે જ એક મહિલા બેહોશ થઈ ગઈ અને નીચે પડી ગઈ અને અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી. જેના કારણે તેની પાછળ અન્ય લોકો પણ પડી ગયા હતા. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓએ જીવ ગુમાવ્યો હતો અને બે ઘાયલ થયા હતા. સીકર પોલીસના એસપી કુંવર રાષ્ટ્રદીપે જણાવ્યું કે, પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ભીડને નિયંત્રિત કરવામાં આવી રહી છે.

આજે ચંદ્ર કેલેન્ડરનો 11મો દિવસ ખાટુ શ્યામજીના દર્શન માટે શુભ ગણાય છે. જેને ભગવાન કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે. 

આ દુર્ઘટના પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ દુ:ખ વ્યક્ત કર્યું છે. અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, નાસભાગમાં ઘણા શ્રદ્ધાળુઓનું મૃત્યુ આઘાતજનક છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. તમામ ભક્તોને સંયમ જાળવવા નમ્ર વિનંતી છે. તંત્રએ રાહત કામગીરી ઝડપી ગતિએ હાથ ધરવી જોઈએ. ભક્તો પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં વહીવટીતંત્રને સહકાર આપે છે.

ખાટુ શ્યામજી મંદિર રાજસ્થાનના સૌથી મહત્વપૂર્ણ તીર્થ સ્થળોમાંથી એક માનવામાં આવે છે અને દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આ મંદિરમાં આવે છે. આ મંદિર ખૂબ જ સુંદર છે અને ત્યાં પૂજા કરવા માટે એક મોટો હોલ છે જેને જગમોહનના નામથી ઓળખવામાં આવે છે.