×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રદ થયેલી પાંચમી ટેસ્ટ પાછળથી રમાડાશેઃ BCCIના સૂત્રો


નવી દિલ્હી,તા.10.સપ્ટેમ્બર,2021

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી માન્ચેસ્ટરમાં રમાનારી પાંચમી ટેસ્ટ કોરોનાના કારણે રદ કરવામાં આવ્યા બાદ ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો છે.

હવે એવો વિવાદ જાગી રહ્યો છે કે, આ ટેસ્ટ રદ થઈ તો સિરિઝ કોણ જિત્યુ, કારણકે ચોથી ટેસ્ટ બાદ ભારત 2-1થી આગળ છે અને ટેસ્ટ મેચ રદ થયા બાદ એવી ખબર આવી હતી કે, ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનુ માનવુ હતુ કે, ટેસ્ટ મેચ રમવા માટે ટીમ ઈન્ડિયાએ  ઈનકાર કર્યો હોવાથી આ મેચ ઈંગ્લેન્ડ જીતેલુ ગણાશે અને સિરિઝ 2-2થી બરાબર રહેશે.

જોકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સૂત્રોએ આ અહેવાલોને ફગાવી દીધા છે.ક્રિકેટ બોર્ડના સૂત્રોનુ કહેવુ છે કે, સિરિઝમાં ટીમ  ઈન્ડિયાની 2-1થી લીડ યથાવત રહેશે અને પાંચમી ટેસ્ટ બંને દેશો વચ્ચે પાછળથી રમાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ટીમના કોચ રવિ શાસ્ત્રી તેમજ બોલિંગ કોચ ભરત અરુણ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને મેચના એક દિવસ પહેલા ફિઝિયો યોગેશ પરમાર પણ કોરોના પોઝિટિવ જાહેર થયા ત્યારથી જ મેચ પર અનિશ્ચિતતાના વાદળો છવાયા હતા.

ભારતીય ટીમના ખેલાડીઓનો કોરોના ટેસ્ટ તો નેગેટિવ આવ્યો હતો પણ ખેલાડીઓએ મેચ રમવા માટે ચિંતા વ્યક્ત કરી હતી.