×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પંજાબમાં BSFને મળી મોટી સફળતા, જપ્ત કર્યો શસ્ત્રો અને દારુગોળાનો જથ્થો

ચંડીગઢ, તા.11 ડિસેમ્બર-2022, રવિવાર

પંજાબના અબોહર વિસ્તારમાંથી BSFનો મોટી સફળતા હાથ લાગી છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ રવિવારે પંજાબમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બે AK-47 રાઈફલ્સ સહિત શસ્ત્રો અને દારૂગોળો જથ્થો જપ્ત કર્યો છે. અબોહર વિસ્તારમાંથી આજે બપોરે 12.15 કલાકે BSFના જવાનોએ 2 AK 47 રાયફલ, 4 રાઈફલ મેગેઝીન, બે બંદુક, 4 બંદુક મેગેઝીન અને કારતુસ જપ્ત કર્યા છે.

પંજાબમાં પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચરથી થયો હતો હુમલો

ઉલ્લેખનિય છે કે, પંજાબના તરનતારનના સરહાલી પોલીસ સ્ટેશન પર શુક્રવારે સવારે લગભગ 1 વાગ્યે રોકેટ લોન્ચરથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ડીજીપી ગૌરવ યાદવ સરહાલી પહોંચ્યા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, પોલીસ સ્ટેશન પર છોડવામાં આવેલ રોકેટ લશ્કરી હથિયાર જે સરહદ પારથી લાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, આ મામલે યુએપી હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન, તેમને ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની જવાબદારી લેવા વિશે પૂછવામાં આવ્યું, તો તેણે કંઈ કહ્યું નહીં. આ હુમલા પાછળ ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓનું કનેક્શન સામે આવ્યું છે. તેની જવાબદારી ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ લીધી છે.