ડૉન છોટા રાજન નિર્દોષ, 26 વર્ષ જૂના દત્તા સામંત મર્ડર કેસનો આજે આવ્યો ચુકાદો

ડૉન છોટા રાજન નિર્દોષ, 26 વર્ષ જૂના દત્તા સામંત મર્ડર કેસનો આજે આવ્યો ચુકાદો

કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)ની એક વિશેષ કોર્ટે શુક્રવારે ગેંગસ્ટર રાજેન્દ્ર સદાશિવ નિકાલજે ઉર્ફ છોટા રાજનને નિર્દોષ જાહેર કર્યો છે. કેસ મુંબઈના ટ્રેડ યૂનિયન નેતા ડૉક્ટર દત્તા સામંતની હાઈ-પ્રોફાઈલ હત્યા સાથે જોડાયેલો છે. ડૉક્ટર દત્તાની 1997માં ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ છોટા રાજન પર લાગ્યો હતો. ત્યારે હવે વિશેષ CBI જસ્ટિસ એએમ પાટિલે પૂરાવાઓના અભાવમાં રાજનને હત્યાના સંબંધમાં તમામ આરોપોથી મુક્ત કરી દીધો.

ચાર શૂટરોને પણ મારી હતી ગોળી

ડૉ. સામંતની 16 જાન્યુઆરી 1997એ પદ્માવતી રોડ પર ચાર લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી, જ્યારે તે પોતાની જીપથી પવઈથી ઘાટકોપર જઈ રહ્યા હતા. આરોપ છે કે, મોટરસાઈકલ પર આવેલા ચાર હુમલાખોરોએ ડૉ. સામંતની જીપને રોક અને તેના પર 17 ગોળીઓ ચલાવી. ગોળીઓ તેના મોં અને ગર્દન પર વાગી હતી. ડૉ. સામંતને તાત્કાલિક નજીકના અનિકેત નર્સિંગ હોમમાં લઈ જવાયા, જ્યાં તેમને મૃત જાહેર કરી દેવાયા.

ઘટના બાદ ડૉ. સામંતના ડ્રાઈવર ભીમરાવ સોનકાંબલેની ફરિયાદના આધારે સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા હુમલાખોરો વિરૂદ્ધ કેસ દાખલ કરાયો હતો.

ફરિયાદ પહેલા સેટમાં કેટલાક સ્થાનિક લોકો પર કેસ ચલાવાયો અને જુલાઈ 2000માં ચુકાદો સંભળાવાયો. રાજન વિરૂદ્ધ કેસમાં એક અન્ય ગેંગસ્ટર ગુરૂ સાટમ અને રાજનના નજીકના રોહિત વર્માને ફરાર બતાવાયો, અને તેમને કેસથી અલગ કરી દેવાયો.

બાલીથી પકડાયો હતો રાજન

રાજનને ઓક્ટોબર 2015માં ઈન્ડોનેશિયાના બાલીથી ઝડપી લેવાયો હતો. બાદમાં CBIએ તેમના વિરૂદ્ધ દાખલ તમામ કેસને પોતાના હાથમાં લઈ લીધા અને ડૉ.સામંતની હત્યા મામલે રાજન પર કેસ ચલાવ્યો.

Share: