×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોઇપણરીતે, પગપાળાપણ ખાર્કીવ શહેર ખાલી કરવા ભારતીયોને સૂચના


ભારત સરકારે આજે પોતાના નાગરિકોને યુક્રેનના ખાર્કીવ શહેરમાં રશિયાના વધી રહેલા હુમલાના કારણે કોઇપણ રીતે સાંજ સુધીમાં તે ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ભારત સરકારે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે કોઇપણ વાહન, પગપાળા કે કોઇપણ સંજોગોમાં ખાર્કીવ શહેર ખાલી કરી નજીકની યુક્રેન સરહદ સુધી નાગરિકોએ પહોચી જવું જોઈએ.

દરમિયાન, સરકારે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતના ૧૭,૦૦૦ જેટલા નાગરિકોએ યુક્રેન છોડી દીધું છે તેમાંથી ૩૩૫૨ લોકો ૧૫ વિમાન મારફત વતન પરત થઇ ગયા છે. બાકીના લોકોને પરત લાવવા માટે પોલેન્ડ, રોમાનિયા સરહદેથી વ્યવસ્થા થઇ રહી છે. ભારત સરકારે રશિયન સરકારને વિનંતી કરી પોતાના નાગરિકોને પરત લાવવા માટે મદદ પણ માગી છે.