×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આંધ્ર પ્રદેશમાં જિલ્લાઓની સંખ્યા થશે ડબલ, કેબિનેટે 13 નવા જનપદોને આપી મંજૂરી


- છેલ્લે 1979માં આંધ્ર પ્રદેશમાં નવો જિલ્લો બનાવવામાં આવ્યો હતો અને તે સમયે આંધ્ર પ્રદેશ અવિભાજિત હતું

નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી, 2022, બુધવાર

આંધ્ર પ્રદેશ સરકારે 13 નવા જિલ્લાઓના નિર્માણને મંજૂરી આપી દીધી છે. જોકે તેની સંપૂર્ણ પ્રક્રિયા થવાની હજુ બાકી છે. રિપોર્ટ પ્રમાણે એપ્રિલમાં તેલુગુ નવા વર્ષ નવા વર્ષ સુધીમાં તમામ પ્રક્રિયાઓ પૂરી થઈ જશે. 13 નવા જિલ્લાઓના નિર્માણ બાદ પ્રદેશમાં કુલ જિલ્લાઓની સંખ્યા 26 થઈ જશે. 

24 લોકસભા ક્ષેત્રોને જિલ્લાઓમાં બદલવામાં આવી રહ્યા છે. વિશાખાપટ્ટનમમાં અરાકૂ લોકસભા ક્ષેત્ર પણ સામેલ છે જેને 2 જિલ્લાઓમાં વિભાજિત કરવામાં આવશે. નવા જિલ્લાઓના નામ માન્યમ, અલ્લૂરી સીતારામ રાજૂ, અનાકાપલ્લી, કાકીનાડા, કોના સીમા, એલુરૂ, એનટીઆર, બાપટિયા, પલનાડુ, નંદયાલ, શ્રી સત્યસાઈ, અન્નામય્યા, શ્રી બાલાજી છે.  

છેલ્લે 1979માં આંધ્ર પ્રદેશમાં નવો જિલ્લો બનાવવામાં આવ્યો હતો. તે સમયે આંધ્ર પ્રદેશ અવિભાજિત હતું. 1979માં વિજયનગરમ જિલ્લો બનાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની કેબિનેટનો આ નિર્ણય 25 જાન્યુઆરીની મોડી રાતે આવ્યો છે. ત્યાર બાદ યોજના સચિવ જીએસઆરકેઆર વિજયકુમારે મુખ્ય સચિવ સમીર શર્માને ભલામણો સોંપી હતી. બાદમાં તમામ જિલ્લાઓ સુધી પહોંચાડવા સૂચના બહાર પાડવામાં આવી છે.