ચંદ્રયાન-3 ઈતિહાસ રચવા તરફ અગ્રેસર, પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ આજે શરૂ કરશે અલગ અલગ યાત્રા

ચંદ્રયાન-3 ઈતિહાસ રચવા તરફ અગ્રેસર, પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ આજે શરૂ કરશે અલગ અલગ યાત્રા

image : Twitter

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ જણાવ્યું કે આજે ચંદ્ર પર તેનું ચંદ્રયાન-3 મિશન ફરી એકવાર ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રની ખૂબ નજીક પહોંચી ગયું છે. આજે  લેન્ડર મોડ્યુલને પ્રોપલ્શન મોડ્યુલથી અલગ કરવામાં આવશે.

પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલની યાત્રા અલગ અલગ શરૂ થશે 

ઈસરોએ કહ્યું કે ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટીની ખૂબ નજીક લાવવા માટે તેને 153 કિમી x 163 કિમીની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે. આ સાથે, ચંદ્રની ભ્રમણકક્ષામાં થતી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે આપણું ચંદ્રયાન-3 નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે. પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલ તેમની અલગ અલગ મુસાફરી માટે તૈયાર છે.

વિક્રમ અને પ્રજ્ઞાન શું છે

સરળ ભાષામાં, ચંદ્રયાનની અંદર બેઠેલા ‘હીરો’ હવે આગળની સફર અલગ કરશે. આ લેન્ડરનું નામ વિક્રમ છે અને તેની અંદર પ્રજ્ઞાન છે. લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદ પ્રજ્ઞાન બહાર નીકળી જશે. દેશ અને દુનિયાની નજર તેના પર ટકેલી છે. લેન્ડર 17 ઓગસ્ટે પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ જશે. ISRO 23 ઓગસ્ટ 2023ની સાંજે ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર ઉતારવાની તૈયારી કરી રહ્યું છે.

Share: