જાતીય શોષણ મામલે ફસાયેલા સાંસદ બ્રિજભૂષણની અયોધ્યામાં રેલી રદ, પોલીસે પરવાનગી ન આપી!

જાતીય શોષણ મામલે ફસાયેલા સાંસદ બ્રિજભૂષણની અયોધ્યામાં રેલી રદ, પોલીસે પરવાનગી ન આપી!

મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના આરોપોથી ઘેરાયેલા કેસરગંજના બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહે 5 જૂને અયોધ્યાના શ્રી રામ કથા પાર્કમાં યોજાનારી રેલીને મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. સાંસદે આજે  ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટમાં આ જાણકારી આપી છે.

રેલીને પરવાનગી જ ના મળી 

અયોધ્યા જિલ્લાના પોલીસ પ્રશાસને કલમ 144 અને પર્યાવરણ દિવસના અમલને ધ્યાનમાં રાખીને રેલીની પરવાનગી આપવાનો ના પાડી દીધી છે. સાંસદ અને તેમના સમર્થકો અયોધ્યામાં યોજાનારી રેલીની તૈયારીમાં વ્યસ્ત હતા. પોલીસ પ્રશાસનની સાથે ઈન્ટેલિજન્સ ટીમો પણ સમગ્ર મામલામાં ચાંપતી નજર રાખી રહી હતી. 

“જન ચેતના મહારેલી, 5 જૂન, અયોધ્યા ચલો” કાર્યક્રમ થોડા દિવસો માટે મોકૂફ 

આજે સવારે સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં કેટલાક રાજકીય પક્ષો વિવિધ સ્થળોએ રેલીઓ યોજીને પ્રાંતવાદ, પ્રાદેશિકવાદ અને વંશીય સંઘર્ષને પ્રોત્સાહન આપીને સામાજિક સમરસતાને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી સમગ્ર સમાજમાં ફેલાતી દુષ્ટતા અંગે ચર્ચા કરવા માટે 5મી જૂને અયોધ્યા ખાતે સંતો સંમેલનનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હવે જ્યારે પોલીસ આરોપોની તપાસ કરી રહી છે અને સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશોને માન આપી રહી છે, ત્યારે “જન ચેતના મહારેલી, 5 જૂન, અયોધ્યા ચલો” કાર્યક્રમ થોડા દિવસો માટે મોકૂફ રાખવામાં આવ્યો છે.

Share: