રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર, કહ્યું 'અહંકારી રાજા' રસ્તાઓ પર જનતાના અવાજને કચડી રહ્યો છે

રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર, કહ્યું 'અહંકારી રાજા' રસ્તાઓ પર જનતાના અવાજને કચડી રહ્યો છે

જંતર-મંતર પર કુસ્તીબાજોના ચાલી રહેલા પ્રદર્શન સામે દિલ્હી પોલીસે આજે કડક કાર્યવાહી કરી છે. દિલ્હી પોલીસે જંતર-મંતરથી નવા સંસદ ભવન તરફ કૂચ કરી રહેલા કુસ્તીબાજોની અટકાયત કરી હતી. દિલ્હી પોલીસે જંતર-મંતર પરથી કુસ્તીબાજોનો ટેન્ટ પણ હટાવી દીધો છે. જેને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ટ્વિટ કર્યું, ‘રાજભિષેક પૂર્ણ – ‘અહંકારી રાજા’ રસ્તામાં જનતાના અવાજને કચડી રહ્યો છે!’

પ્રિયંકા ગાંધીએ પણ ટ્વિટ કર્યું હતું

કુસ્તીબાજોના સમર્થનમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું, ‘ખેલાડીઓની છાતી પરના મેડલ આપણા દેશનું ગૌરવ છે. તે મેડલ સાથે ખેલાડીઓની મહેનતને કારણે દેશનું સન્માન વધે છે. ભાજપ સરકારનો ઘમંડ એટલો વધી ગયો છે કે સરકાર નિર્દયતાથી આપણી મહિલા ખેલાડીઓના અવાજને બુટ નીચે કચડી રહી છે. આ બિલકુલ ખોટું છે, આખો દેશ સરકારનો ઘમંડ અને આ અન્યાય જોઈ રહ્યો છે. 

અગાઉ જ કુસ્તીબાજોએ નવા સંસદ ભવન સુધી શાંતિપૂર્ણ કૂચની જાહેરાત કરી

23 એપ્રિલથી જંતર-મંતર પર બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ નવા સંસદ ભવન સુધી શાંતિપૂર્ણ કૂચની જાહેરાત કરી હતી. કુસ્તીબાજો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ સવારે 11.30 વાગ્યે નવા સંસદ ભવન માટે રવાના થયા હતા. દિલ્હી પોલીસે કુસ્તીબાજોને રોકવા માટે બેરિકેડ લગાવી દીધા હતા.

Share: