જો કોઈ એનસીપીને તોડવાનો પ્રયાસ કરશે તો કડક કાર્યવાહી કરીશું, શરદ પવારની આકરી પ્રતિક્રિયા

જો કોઈ એનસીપીને તોડવાનો પ્રયાસ કરશે તો કડક કાર્યવાહી કરીશું, શરદ પવારની આકરી પ્રતિક્રિયા

image  : Twitter

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે રવિવારે કહ્યું કે જો કોઈ NCPને તોડવાનું ષડયંત્ર રચી રહ્યું છે તો પાર્ટીએ કડક પગલાં લેવા પડશે. NCP વડાની ટિપ્પણી તેમના ભત્રીજા અજિત પવારના આગામી રાજકીય પગલા અંગેની અટકળો વચ્ચે આવી છે.

અજિત પવારના બળવાની આશંકા 

એવી ચર્ચાઓ છે કે અજિત પવાર મહારાષ્ટ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની નજીક આવી રહ્યા છે. અજિત પવારે શુક્રવારે કહ્યું હતું કે તેઓ “100 ટકા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા માંગે છે” અને NCP 2024ની વિધાનસભા ચૂંટણીની રાહ જોવાની જગ્યાએ “હજુ પણ” મુખ્યમંત્રી પદ પર દાવો કરી શકે છે.

શરદ પવારે શું કહ્યું … 

શરદ પવારે કહ્યું, “જો ભવિષ્યમાં કોઈ પાર્ટી (NCP)ને તોડવાનો પ્રયાસ કરી રહ્યો  છે તો આ તેની રણનીતિ છે. જો સ્ટેન્ડ લેવું હોય તો કડક સ્ટેન્ડ લેવું પડશે. જો કે, આ મુદ્દા પર આજે વાત કરવી યોગ્ય નથી, કારણ કે અમે હજી સુધી તેની ચર્ચા કરી નથી.

Share: