દયાનંદ સરસ્વતી સમગ્ર વિશ્વને મહાન બનાવવા માગતા હતા, તે સાચા સમાજ સુધારક : પીએમ

દયાનંદ સરસ્વતી સમગ્ર વિશ્વને મહાન બનાવવા માગતા હતા, તે સાચા સમાજ સુધારક :  પીએમ

image : Twitter

નવી દિલ્હી, તા 11, ફેબ્રુઆરી, 2023, શનિવાર 

પીએમ મોદીએ રવિવારે દિલ્હીમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જયંતિનો શુભારંભ કર્યો. આ ખાસ અવસરે તેમણે કહ્યું કે અમને સ્વામી દયાનંદજી પાસેથી ઘણી પ્રેરણા મળે છે. તેમણે સમગ્ર વિશ્વને મહાન બનાવવાની વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે સ્વામી દયાનંદજીએ સમાજ સુધારણા માટે ઘણું કામ કર્યું હતું. 

પીએમએ કહ્યું – આ ઐતિહાસિક તક 

તેમણે કહ્યું કે જ્યારે મહર્ષિ દયાનંદનો જન્મ થયો હતો ત્યારે દેશ સદીઓથી ગુલામીથી નબળો પડી પોતાની આભા, તેજ, આત્મવિશ્વાસ બધુ ગુમાવતો રહ્યો. દરેક ક્ષણે આપણા મૂલ્યો અને આદર્શોને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ તક ઐતિહાસિક છે અને ભવિષ્યનો ઈતિહાસ રચવાની છે. આ સમગ્ર વિશ્વની માનવતાના ભાવિ માટે પ્રેરણાનું ફળ છે. સ્વામી દયાનંદજી અને તેમનો આદર્શ હતો કે આપણે સમગ્ર વિશ્વને શ્રેષ્ઠ બનાવવું જોઈએ. પીએમએ કહ્યું કે સ્વામી દયાનંદજીએ સમાજને દિશા આપવાનું કામ કર્યું.

આપણે આપણો સાચો સ્વભાવ ભૂલ્યા 

ભારતીય સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે ખામી ભારતના ધર્મ અને પરંપરાઓમાં નથી પણ આપણે તેમના સાચા સ્વભાવને ભૂલી ગયા છીએ અને વિકૃતિ તરફ આગળ વધી ગયા છીએ. વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે આપણા ઈતિહાસને નષ્ટ કરવાના ઘણા પ્રયાસો થયા છે. વડાપ્રધાને કહ્યું કે જ્યારે હું કહું છું કે આપણે કર્તવ્યના માર્ગે ચાલવાનું છે ત્યારે લોકો મને ઠપકો આપે છે, તો કલ્પના કરો કે 150 વર્ષ પહેલાં સમાજને રસ્તો બતાવવામાં મહર્ષિજીએ કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હશે. 

અનેક સામાજિક પડકારો સામે લડ્યા 

તેમણે સામાજિક ભેદભાવ, અસ્પૃશ્યતા, જાતિવાદ અને અન્ય વિકૃતિઓ સામે મજબૂત અભિયાન ચલાવ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે 21મી સદીમાં જ્યારે વિશ્વ અનેક વિવાદોમાં, હિંસા અને અસ્થિરતામાં ઘેરાયેલું છે, ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ બતાવેલ માર્ગ કરોડો લોકોમાં આશા જગાડે છે. તેમણે કહ્યું, મહર્ષિ દયાનંદજી જ આગળ આવ્યા અને વેદ સાથે સમાજમાં બોધને પુનર્જીવિત કર્યો.

Share: