માંગરોળ નજીક લગ્ન પ્રસંગમાં 30થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર, તંત્ર દોડતું થયુ

માંગરોળ નજીક લગ્ન પ્રસંગમાં 30થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર, તંત્ર દોડતું થયુ
Image : Pixabay

અમદાવાદ, 11 ફેબ્રુઆરી 2023, શનિવાર

જૂનાગઢના માંગરોળ પાસેના ગામમાં એક લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. અંદાજે 30થી વધુ લોકોને ફૂડ પોઈઝિંનગની અસર થઈ હોવાનું સામે આવી રહ્યુ છે. આ તમામ લોકોને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી.

રાજ્યમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્નમાં ભોજન સમારોહમાં ફૂડ પોઈઝિંનગની ઘટનાઓ બનતી હોય છે. જુનાગઢના માંગરોળ નજીક કુકસવાડામાં આવી જ એક ફૂડ પોઈઝિંનગની ઘટના બની હતી જેમા લગભગ 30થી વધુ લોકોને ફૂડ પોઈઝિંનની અસર થતા તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતની જાણ તંત્રને થતા જ અધિકારીઓની ટીમ સમારોહના સ્થળે પહોંચીને તપાસ કરવામાં આવી રહી છે. હજૂ સુધી ફૂડ પોઈઝિંનગ થયુ તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. 

Share: