×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદીને 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ' થી સન્માનિત કરાયા


નવી દિલ્હી, તા. 24 એપ્રિલ 2022 રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આજે સ્વર્ગીય લતા મંગેશકરના પિતા માસ્ટર દીનાનાથ મંગેશકરની 80 મી પુણ્યતિથિ છે. આ ખાસ દિવસ નિમિત્તે લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારની શરૂઆત કરવામાં આવી રહી છે.

માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરિટેબલ ટ્રસ્ટે કહ્યુ કે અમે આ વર્ષથી લતા મંગેશકરના સન્માનમાં આ એવોર્ડની શરૂઆત કરી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં 93 વર્ષની વયે દિગ્ગજ સિંગર લતા મંગેશકરનુ નિધન થઈ ગયુ હતુ.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા વ્યક્તિ છે જેમને આ ખાસ એવોર્ડથી નવાઝવામાં આવ્યા. આ પુરસ્કારનો ઉદ્દેશ્ય તે લોકોને સન્માનિત કરવાનો છે જેમને ડ્રામા, સંગીત, આર્ટ, મેડિકલ અને સમાજમાં પોતાનુ મહત્વપૂર્ણ યોગદાન કર્યુ છે. પરિવારએ આ વાત પર પણ જોર આપ્યુ કે પીએમ મોદી હંમેશાથી જ લતા મંગેશકરને પોતાની મોટી બહેનની જેમ રાખતા હતા.

એ પણ જાણકારી આપવામાં આવી છે કે અભિનેત્રી આશા પારેખ, અભિનેતા જેકી શ્રોફે પણ વિશેષ કેટેગરીમાં માસ્ટર દીનાનાથ પુરસ્કાર આપવામાં આવશે. આ બંને જ કલાકારોએ સિનેમાના ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યુ છે. સંગીત ક્ષેત્રથી રાહુલ દેશપાંડેએ પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. બેસ્ટ ડ્રામા માટે સંજયા છાયાને પણ સન્માનિત કરવાની તૈયારી છે.

એવોર્ડ સેરેમની દરમિયાન એક ખાસ મ્યૂઝિક કાર્યક્રમનુ પણ આયોજન કરવામાં આવશે. 'Swarlatanjali' કાર્યક્રમ દરમિયાન સિંગર રુપકુમાર રાઠોર દ્વારા લતા મંગેશકરના ગીત ગાવામાં આવશે.