×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

J-K: 2 એન્કાઉન્ટરમાં 6 આતંકવાદીઓનો સફાયો, એક જવાન શહીદ, 9 ઘાયલ


- 2 દિવસ બાદ (24 એપ્રિલના રોજ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યા છે 

નવી દિલ્હી, તા. 22 એપ્રિલ 2022, શુક્રવાર

જમ્મુ કાશ્મીરના વિભિન્ન વિસ્તારોમાં છેલ્લા અમુક કલાકોમાં 2 એન્કાઉન્ટર થયા છે જેમાં કુલ 6 આતંકવાદી માર્યા ગયા છે. આતંકવાદીઓ વિરૂદ્ધના આ ઓપરેશનમાં એક ભારતીય જવાન પણ શહીદ થયા છે. જ્યારે અન્ય 9 જવાનોને ઈજાઓ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, 2 દિવસ બાદ (24 એપ્રિલના રોજ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યા છે. 

સૌથી તાજેતરનો હુમલો સવારે 4:15 કલાકે જમ્મુના સુંજવાં વિસ્તારમાં ચઢ્ઢા કેમ્પ પાસે થયો હતો. આતંકવાદીઓએ CISFના 15 જવાનોને ડ્યુટી પર લઈ જઈ રહેલી બસ પર હુમલો કર્યો હતો. જોકે CISF દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવતા આતંકવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ સમગ્ર કાર્યવાહીમાં કુલ 5 જવાન ઘાયલ થયા હતા જેમાંથી CISFના એક ASI શહીદ થયા હતા. શહીદી વહોરનારા જવાનનું નામ એસ પટેલ હોવાનું સામે આવ્યું છે. 55 વર્ષીય તે જવાન સતના (મધ્ય પ્રદેશ)ના રહેવાસી હતા. 

ત્યાર બાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું અને સુંજવાં વિસ્તારમાં મૂઠભેડ થઈ હતી. સવારના સમયે ત્યાં 5 જવાનો ઘાયલ થયા હતા. તે સમયે આતંકવાદીઓએ UBGL (ગ્રેનેડ લોન્ચર) વડે ગ્રેનેડ ફેંક્યો હતો. ADGP જમ્મુ મુકેશ સિંહના કહેવા પ્રમાણે આતંકવાદીઓ સંતાયા હોવાની સૂચના બાદ તેમણે રાતના સમયે તે વિસ્તારની ઘેરાબંધી કરી હતી.