ઊંચા ભાવના કારણે ભારતમાં જીવન નિર્વાહ ખર્ચમાં વધારો

ઊંચા ભાવના કારણે ભારતમાં જીવન નિર્વાહ ખર્ચમાં વધારો


– મેન્યુફેક્ચરિંગ કંપનીઓનો કાચા માલ પરનો ખર્ચ એક વર્ષ અગાઉની સરખામણીએ ડિસેમ્બર સુધીના 3 મહિનામાં 37% વધ્યો

નવી દિલ્હી, તા. 04 એપ્રિલ 2022, સોમવાર

એશિયાના ત્રીજા સૌથી ઝડપી ફુગાવા અને અસમાન સુધારાનો સામનો કરી રહેલા અર્થતંત્રમાં ઉપભોક્તાઓની સંખ્યામાં થઈ રહેલા વધારા વચ્ચે ભારતીય ઉત્પાદકોની વધી રહેલા ઈનપુટ ખર્ચને ગ્રહણ કરવાની ક્ષમતા ઘટી રહી છે. 

યુનિલિવર પીએલસી (Unilever Plc)ની ભારતીય એકમની કંપનીઓ અને સુઝુકી મોટર કોર્પો. (Suzuki Motor Corp.) ટુ જેએસડબલ્યુ સ્ટીલ લિ. (JSW Steel Ltd.) રશિયાના યુક્રેન પરના આક્રમણ બાદ એનર્જી કોસ્ટમાં થયેલી વૃદ્ધિથી વૈશ્વિક પુરવઠામાં જે ઘટાડો આવ્યો છે તેના જવાબમાં કિંમતો વધારી રહ્યા છે. માર્ચ 2021ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં મહામારી પ્રેરિત 6.6%ના સંકોચન બાદ અર્થતંત્ર તેના પ્રથમ પૂર્ણ વર્ષના વિકાસમાં પાછું ફર્યું એ જ રીતે છૂટક ઈંધણના ઊંચા ભાવ પણ માગને નુકસાન પહોંચાડવાનો ભય સર્જી રહ્યા છે. 

દેશની સૌથી મોટી કન્ઝ્યુમર ગુડ્સ કંપનીઓ પૈકીની એક ડાબર ઈન્ડિયા લિમિટેડના મુખ્ય નાણાકીય અધિકારી અંકુશ જૈને જણાવ્યું કે, ‘ફુગાવો બેરોકટોક જળવાઈ રહ્યો હોવાથી સતત બીજા વર્ષે ચિંતાનું કારણ બન્યું છે.’

પોલિસી મેકર્સ આ સપ્તાહે યોજાનારી બેઠકમાં વ્યાજ દર અંગે નિર્ણય લેશે અને તેમણે સંકેત આપ્યો છે કે, નાણાંકીય વર્ષ 2023 માટે તેઓ પોતાના 4.5% ફુગાવાના પૂર્વાનુમાનમાં સંશોધન કરી શકે છે.

દેશના આર્થિક સુધારા માટે ગ્રાહકો ચાવીરૂપ છે, જેમાં ખાનગી વપરાશ ભારતના કુલ ઘરેલુ ઉત્પાદનનો લગભગ 60% હિસ્સો ધરાવે છે. માગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય બેંક સંભવતઃ લાંબા સમય સુધી ઉધાર ખર્ચ ઓછો રાખશે. 

તેના લીધે RBI પોતાના 2%-6% લક્ષ્યાંક બેન્ડના 4% મધ્યબિંદુ પર ફુગાવાને જાળવી રાખવાનું પ્રાથમિક કાર્ય કરવા માટે સંઘર્ષ કરી રહી છે, જો કે તે રાજકોષીય પગલાંના સ્વરૂપમાં સરકાર પાસેથી સમર્થન શોધી રહી છે.

ડોઈચે બેંકના એજી અર્થશાસ્ત્રી કૌશિક દાસના જણાવ્યા અનુસાર, જો આ તબક્કે વિવિધ નાણાકીય નીતિના સાધનોનો ઉપયોગ કરીને કાર્યવાહી ન કરવામાં આવી તો, આગામી ક્વાર્ટરમાં વૃદ્ધિ કરતાં ફુગાવો ભારત માટે મોટું જોખમ બની શકે છે. જો અનિયમિત ચોમાસા જેવા વધુ આંચકા આવે તો ફુગાવો RBIની ઉપલી ટોલરન્સ લિમિટની નજીક રહે છે, જે 2.7 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના પાંચમા ભાગ માટેના કૃષિ ઉત્પાદનને વિક્ષેપિત કરી શકે છે. 

મેન્યુફેક્ચરિંગ કંપનીઓનો કાચા માલ પરનો ખર્ચ એક વર્ષ અગાઉની સરખામણીએ ડિસેમ્બર સુધીના 3 મહિનામાં 37% વધ્યો હતો, જે તેમના કુલ ખર્ચના 63% કરતા વધુ છે. કેન્દ્રીય બેંકના તાજેતરના વિશ્લેષણમાં આ દર્શાવવામાં આવ્યું છે. 

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિ.ના માર્કેટિંગ અને વેચાણ માટેના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ‘અમે અમારી નફાકારકતા તણાવમાં આવે છે તે જોઈ રહ્યા છીએ. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને વધુ ભાવ વધારાને નકારીશું નહીં.’ 

Share: