બજાજ સમૂહના મોભી દિગ્ગજ ઉદ્યોગપતિ રાહુલ બજાજનું નિધન

બજાજ સમૂહના મોભી દિગ્ગજ ઉદ્યોગપતિ રાહુલ બજાજનું નિધન

નવી દિલ્હી, તા. 12 ફેબ્રુઆરી, 2022, શનિવાર

દેશના ટોચના ઉદ્યોગપતિ અને બજાજ સમૂહના મોભી રાહુલ બજાજનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ કેન્સર સામે લડી રહ્યાં હતા.

50 વર્ષથી વધુ સમય સુધી તેઓ બજાજ સમૂહના ચેરપર્સન રહી ચૂક્યાં છે. ઉદ્યોગજગતની સાથે તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યાં છે.

2001માં તેમને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

Share: