×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકારને ભલે જાણકારી ના હોય પણ આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોનુ લિસ્ટ મારી પાસે છેઃ લોકસભામાં રાહુલ ગાંધી


નવી દિલ્હી, તા. 7. ડિસેમ્બર, 2021 મંગળવાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભામાં ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરી છે.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, ખેડૂત આંદોલનમાં મોતને ભેટેલા ખેડૂતોના પરિવારોને વળતર આપવામાં આવે.સરકાર કહી રહી છે કે, કોઈ ખેડૂત શહીદ નથી થયો અથવા તો આ સરકાર પાસે ખેડૂતોના નામ નથી..જો સરકાર પાસે જાણકારી ના હોય તો હં આપવા તૈયાર છું.હું ઈચ્છુ છે કે, એ ખેડૂતોને તેમનો હક મળે, તેમના પરિવારને વળતર આપવામાં આવે.

તેમણે કહ્યુ હતુ કે, આંદોલન દરમિયાન 700 ખેડૂતોના મોત થયા હતા.પીએમ મોદીએ દેશ અને ખેડૂતોની માફી માંગી છે અને પોતાની ભૂલ કબૂલી છે પણ જ્યારે કૃષિ મંત્રી તોમરને પૂછવામાં આવ્યુ કે, આંદોલન દરમિયાન કેટલા ખેડૂતોના મોત થયા છે ત્યારે તેમણે કહ્યુ હતુ કે, અમારી પાસે કોઈ ડેટા નથી.

રાહુલ ગાંધીએ આગળ કહ્યુ હતુ કે, પંજાબના 400 ખેડૂતો શહીદ થયા છે અને પંજાબ સરકારે દરેકના પરિવારને પાંચ લાખ રુપિયાની મદદ કરી છે.152 ખેડૂતોના પરિવારજનને રોજગારી આપી છે.હરિયાણામાં 70 ખેડૂતોના મોત થયા છે.આ રિપોર્ટ પણ હું આપી શકુ તેમ છે.

તેમણે કહ્યુ હતુ કે, ખેડૂતોના નામોનુ લિસ્ટ હું લોકસભામાં મુકી રહ્યો છું.પીએમ મોદી માફી માંગી રહ્યા છે અને સરકાર કહી રહી છે કે આંદોલનમાં કોઈનુ  મોત થયુ નથી.ખેડૂતોની સામેના પોલીસ કેસ પણ પાછા નહીં ખેંચવામાં આવે તો તે બહુ મોટી ભૂલ હશે.