×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ-કાશ્મીર: ઉરીમાં આતંક પર જોરદાર પ્રહાર, પાક. ઘૂસણખોરને સેનાએ પકડ્યો, 5 દિવસમાં 4 આતંકી ઠાર


શ્રીનગર, તા. 28 સપ્ટેમ્બર 2021 મંગળવાર

જમ્મુ-કાશ્મીરની સરહદ પર ભારતીય સેનાએ એકવાર ફરી પાકિસ્તાનના નાપાક ઈરાદાને નિષ્ફળ કરી દીધા છે. મંગળવારે ઉરી સેક્ટરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરીને પકડી છે, જે ભારતીય જમીન પર આવવાના પ્રયત્નમાં હતા.

ઉરી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સતત ઘૂસણખોરીનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો, એવો પ્રયત્ન કરનાર કેટલાક આતંકવાદીઓએ સેનાને ઠાર માર્યા છે. ઉરી સેક્ટરમાં ગત 5 દિવસમાં 4 આતંકીઓને ઠાર માર્યા છે.

23 તારીખે જારી કર્યુ હતુ ઑપરેશન

સેના અનુસાર, 18 સપ્ટેમ્બરથી જ ઉરી સેક્ટરમાં સતત ઘૂસણખોરીનો પ્રયત્ન થઈ રહ્યો હતો. 23 સપ્ટેમ્બરે જ ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા, તેની સાથે રહેલા બે આતંકી ત્યારે અહીંથી બચી નીકળ્યા હતા.

સેના દ્વારા આ બે ની તપાસ ત્યારથી ચાલી રહી હતી, જેમાંથી હવે એક મરી ચૂક્યો છે અને એકને જીવતો પકડવામાં આવ્યો છે, અહીં ચાલેલી લાંબી અથડામણમાં સેનાના કેટલાક જવાનોને ઈજા પણ પહોંચી છે.

ભારતીય સેનાના અધિકારી દ્વારા જાણકારી આપવામાં આવી છે કે પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરની શાંતિ બગડવાને લઈને આવુ કરવામાં આવી રહ્યુ છે. પાકિસ્તાની સેના છેલ્લા કેટલાક સમયથી આવી પ્રયત્નમાં એકઠી છે.