નાણા મંત્રાલયે ઇન્ફોસીસનાં CEO ને સમન્સ પાઠવ્યું, જાણો શું છે મામલો

નાણા મંત્રાલયે ઇન્ફોસીસનાં CEO ને સમન્સ પાઠવ્યું, જાણો શું છે મામલો

નવી દિલ્હી, 22 ઓગસ્ટ 2021 રવિવાર

નાણાં મંત્રાલયે રવિવારે આવકવેરા વિભાગના નવા ઇ-ફાઇલિંગ પોર્ટલમાં ચાલી રહેલી સમસ્યાઓ અંગે કડક વલણ અખત્યાર કર્યું છે. મંત્રાલયે આ પોર્ટલ બનાવનાર ટેક્નોલોજી કંપની ઇન્ફોસિસના સીઇઓ અને એમડી સલિલ પારેખને સમન્સ જારી કર્યું છે. સલીલ પારેખને 23 ઓગસ્ટના રોજ હાજર રહેવા કહેવામાં આવ્યું છે.

આવકવેરા વિભાગે એક ટ્વિટમાં જણાવ્યું કે, “નાણાં મંત્રાલયે ઈન્ફોસિસના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સલીલ પારેખને 23 ઓગસ્ટના રોજ બોલાવીને નવા ઈ-ફાઈલિંગ પોર્ટલમાં અઢી મહિના પછી પણ આવી રહેલી સમસ્યાઓનું સમાધાન કેમ થતું નથી, હકીકતમાં, 21 ઓગસ્ટથી જ પોર્ટલ બિલકુલ ઉપલબ્ધ નથી.”

અત્રે ઉલ્લેખનિય છે કે આવકવેરા વિભાગની નવી વેબસાઈટ 7 જૂને શરૂ કરવામાં આવી હતી. તેને ઇન્ફોસિસ દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને તેના તૈયાર કરવા પાછળ લગભગ 4241 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. શરૂઆતથી જ સમસ્યારૂપ બનેલું આ પોર્ટલ છેલ્લા કેટલાક દિવસોથી સંપૂર્ણપણે બંધ છે, ત્યારબાદ નાણાં મંત્રાલયે આકરૂ વલણ દર્શાવ્યું છે.

Share: