દેશમાં કોરોનાના નવા 41,506 કેસ, વધુ 895નાં મોત : એક્ટિવ કેસ ચાર લાખ નીચે

દેશમાં કોરોનાના નવા 41,506 કેસ, વધુ 895નાં મોત : એક્ટિવ કેસ ચાર લાખ નીચે


દેશભરમાં કોરોના રસીના 37.60 લાખ ડોઝ અપાયા

દિલ્હીની સ્કૂલોના ઓડિટોરિયમ અને હોલ્સમાં મિટિંગ, ટ્રેનિંગને છૂટ, વર્ગખંડોમાં શિક્ષણ કાર્ય હાલ સસ્પેન્ડ રહેશે

નવી દિલ્હી : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 41,506 કેસો સામે આવ્યા છે. જ્યારે વધુ 895 લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 3,083,7,222એ પહોંચી ગઇ છે.  જ્યારે એક્ટિવ કેસો ઘટીને 4,54,118એ પહોંચ્યા હતા.  બીજી તરફ મૃત્યુઆંક વધીને 4,08,040એ પહોંચ્યો હતો.

માત્ર એક જ દિવસમાં કોરોના વાઇરસના 18.43 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેને પગલે કુલ ટેસ્ટનો આંકડો વધીને 43 કરોડને પાર પહોંચી ગયો હતો. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 2.25 ટકાએ પહોંચ્યો હતો જે છેલ્લા 20 દિવસમાં સૌથી ઓછો છે.

બીજી તરફ દેશભરમાં રાષ્ટ્રીયસ્તરે રસીકરણ અભિયાન દરમિયાન 37.60 કરોડ ડોઝ રસીના આપવામાં આવ્યા છે. વધુ જે 895 લોકોના મોત નિપજ્યા છે તેમાં 494 મહારાષ્ટ્ર, 109 કેરળના છે. 

દિલ્હીમાં સ્કૂલો હજુસુધી નથી ખોલવામાં આવી પણ સ્કૂલોના એસેમ્બ્લી હોલ્સ અને ઓડિટોરિયમ ટ્રેનિંગ અને મીટિંગ માટે ઉપયોગમાં લેવાશે. જોકે સ્કૂલોમાં હાલ શિક્ષણ પ્રવૃત્તિને સસ્પેન્ડ રાખવામાં આવશે અને ઓનલાઇન જ શિક્ષણ આપવામાં આવશે.

જોકે આવા હોલ અને ઓડિટોરિયમમાં માત્ર 50 ટકા સ્ટાફને જ છુટ આપવામાં આવશે. ગત સપ્તાહે પણ સરકારે સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ખુલ્લા મુકવાની છુટ આપી હતી. જોકે આ દરમિયાન કોરોનાના પ્રોટોકોલના પાલનને ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

Share: