રેલવે મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓ હવે બે શિફ્ટમાં કામ કરશે

રેલવે મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓ હવે બે શિફ્ટમાં કામ કરશે

નવી દિલ્હી,તા.9.જુલાઈ.2021

પીએમ મોદીના સૌથી શિક્ષિત મંત્રી અશ્વિની વૈષ્વણે રેલવે મંત્રીનો ચાર્જ લીધા બાદ ફેરફારો કરવાનુ શરુ કરી દીધુ છે.

સૌથી પહેલો નિર્ણય તેમણે રેલવે મંત્રાલયનો ટાઈમ બદલવાનો કર્યો છે.હવે મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓ બે શિફ્ટમાં કામ કરશે.રેલવે મંત્રીની ઓફિસ દ્વારા જાહેર કરાયેલી સૂચના પ્રમાણે પહેલી શિફ્ટ સવારે સાત વાગ્યાથી ચાર વાગ્યા સુધીની અને બીજી શિફ્ટ બપોરે ત્રણ વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીની રહેશે.

રેલવે મંત્રાલયના સૂત્રોનુ કહેવુ છે કે, મંત્રાલય વધારે સમય માટે કાર્યરત રહે પણ કર્મચારીઓ પર તેનો બોજો ના આવે તે માટે ઉપરોક્ત નિર્મય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય રેલવે મંત્રાલય સૌથી મહત્વના મંત્રાલય પૈકીનુ એક છે.આ પહેલા પિયુષ ગોયલ પાસે તેની જવાબદારી હતી.હવે પિયુષ ગોયલને કાપડ મંત્રાલય આપવામાં આવ્યુ છે અને તેમની જગ્યાએ અશ્વિની વૈષ્ણવને જવાબદારી સોંપાઈ છે.વૈષ્ણવ આઈઆઈટીની ડિગ્રી ધરાવવાની સાથે સાથે પૂર્વ આઈએએસ પણ રહી ચુકેલા છે અને તેમણે એમબીએ પણ કરેલુ છે.

Share: