Corona Cases: રાજ્યમાં આજે 62 કેસ નોંધાયા, એક પણ મોત નહીં, કુલ મૃત્યુઆંક 10072

Corona Cases: રાજ્યમાં આજે 62 કેસ નોંધાયા, એક પણ મોત નહીં, કુલ મૃત્યુઆંક 10072

ગાંધીનગર, 8 જુલાઇ 2021 ગુરૂવાર

ગુજરાતમાં કોરોના સંક્રમણનાં વળતા પાણી છે, આજે રાજ્યમાં માત્ર 62 કેસ નોંધાયા છે. સૌથી સારી બાબત એ છે કે આજે એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં આજે 534 લોકોએ કોરોનાને હરાવ્યો આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1497 છે. જે પૈકી 09 દર્દી વેન્ટીલેટર પર છે. 

રાજ્યમાં આજે કુલ 1497 એક્ટિવ કેસ કેસ છે. જ્યારે 09 લોકો વેન્ટીલેટર પર છે. 1488 દર્દીની હાલત સ્ટેબલ છે. 8,12,522 લોકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10072 પહોંચ્યો છે. 

રાજ્યમાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા વિવિધ કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં 15 સુરત કોર્પોરેશનમાં 9, રાજકોટ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 6, સુરતમાં 3, અમરેલી 2, ભાવનગર કોર્પોરેશન 2, દેવભૂમિ દ્વારકા 2, પંચમહાલમાં 2, વડોદરામાં 2,  બનાસકાંઠા, ભરૂચ, બોટાદ, દાહોદ, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, નવસારી, તાપી, વલસાડમાં 1-1 કેસનો સમાવેશ થાય છે. 

રાજ્યમાં આજે સતત બીજા દિવસે પણ કોરોના રસીકરણ બંધ રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 2,73,25,191 ડોઝનું રસીકરણ પૂરૂ થયું છે.

Share: