26/11ના મુંબઈ હુમલા વિરુદ્ધ વોશિંગ્ટનમાં પાકિસ્તાની દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન

26/11ના મુંબઈ હુમલા વિરુદ્ધ વોશિંગ્ટનમાં પાકિસ્તાની દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન


– આ આતંકી હુમલામાં 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા

વોશિંગ્ટન, તા. 27 નવેમ્બર 2022, રવિવાર

મુંબઈ 26/11ના હુમલાના વિરોધમાં શનિવારે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં પાકિસ્તાની દૂતાવાસની બહાર લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવ્યા હતા. મુંબઈમાં વર્ષ 2008માં થયેલા સૌથી મોટા આતંકવાદી હુમલા (26/11 મુંબઈ એટેક)ને ગઈકાલે 14 વર્ષ પૂર્ણ થયા હતા. જોકે, તે ઘાતકી હુમલાની દર્દનાક યાદો આજે પણ દેશના દરેક નાગરિકના હૃદય અને દિમાગમાં તાજી છે. વર્ષ 2008માં 26 નવેમ્બરે મુંબઈમાં તાજ હોટેલ, ઓબેરોય ટ્રાઈડેન્ટ, નરીમન હાઉસ, સીએસએમટી રેલ્વે સ્ટેશન, કામા હોસ્પિટલ, લિયોપોલ્ડ કાફે સહિત કુલ 12 સ્થળો પર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકી હુમલામાં 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.

<p

Share: