×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'હિન્દુ નામનો કોઈ ધર્મ જ નથી, ફક્ત દગો છે…' સ્વામી પ્રસાદ મૌર્યનો બફાટ, ચોતરફી થઈ ટીકા


સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય પોતાના વિવાદિત નિવેદનને કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમણે હિન્દુ ધર્મને લઈને ફરી એક વિવાદિત નિવેદન આપ્યું છે. જે ઈન્ટરનેટ  પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તે જ સમયે, લોકો નિવેદનને લઈને અલગ-અલગ રીતે પોતાનો પક્ષ રાખી રહ્યા છે.

સ્વામી પ્રસાદ મૌર્યનું વિવાદિત નિવેદન 

સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું છે કે, 'બ્રાહ્મણવાદના મૂળ ખૂબ ઊંડા છે અને તમામ અસમાનતાનું કારણ પણ બ્રાહ્મણવાદ જ છે. હિંદુ નામનો કોઈ ધર્મ નથી, હિંદુ ધર્મ માત્ર છેતરપિંડી છે.

બ્રાહ્મણ ધર્મને હિંદુ ધર્મ કહીને.....

તેમણે કહ્યું કે, જે બ્રાહ્મણ ધર્મને હિંદુ ધર્મ કહીને આ દેશના દલિતો, આદિવાસીઓ અને પછાત લોકોને ફસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે, તે વાસ્તવમાં બ્રાહ્મણ ધર્મ છે. જો હિંદુ ધર્મ હોત તો આદિવાસીઓનું સન્માન થાત, દલિતોનું સન્માન થાત, પછાત લોકોનું સન્માન થયું હોત પણ કેવી દુવિધા છે...'