સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડના વચગાળાના જામીન 19 જુલાઈ સુધી લંબાવ્યા, ગુજરાત સરકારને ફટકારી નોટિસ

સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડના વચગાળાના જામીન 19 જુલાઈ સુધી લંબાવ્યા, ગુજરાત સરકારને ફટકારી નોટિસ

સુપ્રીમકોર્ટની ત્રણ જજોની બેન્ચે તીસ્તા સેતલવાડની જામીન અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આજે તેના સામાજિક કાર્યકર, તિસ્તા સેતલવાડના વચગાળાના જામીન 19 જુલાઈ સુધી લંબાવ્યા છે અને ગુજરાત હાઈકોર્ટે કથિત બનાવટના કેસમાં તેના નિયમિત જામીન ફગાવી દીધા પછી, તેણીની અરજી પર જવાબ માંગતી ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. જેમાં 2002ના ગુજરાત રમખાણોના સંબંધમાં પુરાવા રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ત્રણ જજની બેન્ચે કેસની કરી હતી સુનવણી 

આજે જસ્ટિસ બીઆર ગવઈ, એએસ બોપન્ના અને દીપાંકર દત્તાની વિશેષ બેન્ચે આ મામલે ગુજરાત સરકારનો જવાબ માંગ્યો હતો અને કેસને અંતિમ નિકાલ માટે 19 જુલાઈ સુનાવણીની આગામી તારીખ આપવામાં આવી છે.

એડિશનલ સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટ પાસે માંગ્યો સમય

ગુજરાત સરકાર માટે સોલિસિટર જનરલ તુષાર મહેતા સાથે હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તેમને કેટલાક દસ્તાવેજોના અનુવાદ માટે સમયની જરૂર છે.

અગાઉ બે જજો વચ્ચે મતભેદ થતાં કોઈ નિર્ણય આવી શક્યો નહોતો

આ પહેલા સુપ્રીમકોર્ટની બે જજોની બેન્ચે સુનાવણી કરી હતી. જેમાં કોઈ બે જજો વચ્ચે મતભેદ થતાં કોઈ નિર્ણય આવી શક્યો નહોતો. તે પહેલાં ગુજરાત હાઇકોર્ટમાં તિસ્તા સેતલવાડ દ્વારા રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી અને અવલોકન કર્યું હતું કે, કેસની ગંભીરતાને જોતા જામીન આપી શકાય તેમ નથી. કેસની તપાસ અને ચાર્જફ્રેમમાં તિસ્તાએ સહકાર આપવો જોઈએ. જામીન અરજી ફગાવી દઈને તેમને તાત્કાલિક સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે. તીસ્તા પર 2002ના ગોધરાકાંડ બાદના રમખાણો સાથે જોડાયેલા કેસોમાં પુરાવા સાથે છેડછાડ અને સાક્ષીઓને ટ્રેનિંગ આપવાનો આરોપ છે. 

Share: