શિવ મંદિરો સુધી ગંગાજળ પહોંચાડે UP સરકાર, હરિદ્વાર જવા પર પ્રતિબંધ મુકાયઃ SCમાં કેન્દ્ર

શિવ મંદિરો સુધી ગંગાજળ પહોંચાડે UP સરકાર, હરિદ્વાર જવા પર પ્રતિબંધ મુકાયઃ SCમાં કેન્દ્ર


– કાવડ યાત્રાને ઉત્તરાખંડ જવાની મંજૂરી ન આપવી જોઈએઃ કેન્દ્ર

નવી દિલ્હી, તા. 16 જુલાઈ, 2021, શુક્રવાર

કોરોના સંકટ વચ્ચે કાવડ યાત્રાને લઈ સસ્પેન્સ બનેલું છે. ઉત્તર પ્રદેશ સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં આ અંગે સોગંદનામુ દાખલ કર્યું હતું. યુપી સરકારના કહેવા પ્રમાણે પ્રદેશમાં કાવડ યાત્રા પર સંપૂર્ણપણે પ્રતિબંધ નથી. સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે જ આ મુદ્દે સુનાવણી થવાની છે. 

સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામામાં યુપી સરકારે કહ્યું હતું કે, કાવડ યાત્રા સાંકેતિક સ્વરૂપે ચલાવવામાં આવશે. સાથે જ સરકાર આ અંગે ગાઈડલાઈન બનાવી શકે છે. 

કેન્દ્રએ સૂચવ્યો આ રસ્તો

આ તરફ કેન્દ્રએ કોર્ટમાં કહ્યું કે, રાજ્ય સરકારે પ્રોટોકોલ અંતર્ગત ઉચિત નિર્ણય લેવો જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા પહેલેથી જ તમામ એડવાઈઝરી જાહેર કરી દેવામાં આવી છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, કાવડ યાત્રાને ઉત્તરાખંડ જવાની મંજૂરી ન આપવી જોઈએ. જોકે ગંગાગજળ એવી જગ્યાએ ઉપલબ્ધ કરવું જોઈએ જેથી કાવડિયાઓ નજીકના શિવ મંદિરમાં પૂજા કરી શકે. 

ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે આ વખતે કાવડ યાત્રા પર પ્રતિબંધ મુક્યો છે. જોકે ઉત્તર પ્રદેશ સરકારે સંપૂર્ણ પ્રતિબંધ નહોતો મુક્યો. આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટે આ મુદ્દે જાતે જ સંજ્ઞાન લીધું હતું. 

નિષ્ણાતો દ્વારા સતત ચેતવણી આપવામાં આવી રહી છે કે, કોરોનાની ત્રીજી લહેર ગમે તે સમયે આવી શકે છે. સરકારે પહાડી વિસ્તારોમાં ઉમટી રહેલી ભીડને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ સંજોગોમાં કાવડ યાત્રાને લઈ અનેક પ્રકારના સવાલો થઈ રહ્યા હતા. 

Share: