વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન: કહ્યું- 21મી ઓક્ટોબરે ભારતે અસાધારણ લક્ષ્ય હાંસલ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન: કહ્યું- 21મી ઓક્ટોબરે ભારતે અસાધારણ લક્ષ્ય હાંસલ કર્યું

નવી દિલ્હી, તા. 22 ઓક્ટોબર, 2021, શુક્રવાર

કોરોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ 10મું સંબોધન છે. અગાઉ ગઈકાલે જ એટલે કે, ગુરૂવારે જ ભારતે કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝ લગાવવાનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં કયા મુદ્દાઓને આવરી લેશે તેને લઈ સૌ કોઈ ઉત્સુક છે. ગણતરીના દિવસોમાં જ દિવાળી અને છઠ જેવા તહેવારો આવી રહ્યા હોવાથી વડાપ્રધાન મોદી પોતાના સંબોધનમાં આગામી તહેવારોને લઈ દેશવાસીઓને કોરોના અંગે સાવચેત કરશે તેવી ધારણા છે.

વડાપ્રધાન પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં ચોંકાવનારા નિર્ણયોની ઘોષણા કરવાને લઈ પણ ઓળખાય છે. 2016માં 8 નવેમ્બરના રોજ તેમણે રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન નોટબંધીની ઘોષણા કરી હતી. તે જ રીતે 2020માં આવા જ એક સંબોધન દરમિયાન દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. 

Share: