મુંબઈઃ બાંદ્રા કુર્લામાં બની રહેલા ફ્લાઈઓવરનો એક હિસ્સો નીચે પડતા 13 મજૂરો ઘાયલ

મુંબઈઃ બાંદ્રા કુર્લામાં બની રહેલા ફ્લાઈઓવરનો એક હિસ્સો નીચે પડતા 13 મજૂરો ઘાયલ


– શુક્રવારે પરોઢે જ મુંબઈના માનખુર્દ વિસ્તારમાં એક સ્ક્રેપ યાર્ડમાં ભીષણ આગ લાગી હતી

નવી દિલ્હી, તા. 17 સપ્ટેમ્બર, 2021,શુક્રવાર

મુંબઈમાં શુક્રવારે સવારે એક નિર્માણાધીન ફ્લાઈઓવરનો હિસ્સો નીચે પડી ગયો હતો. આ દુર્ઘટનામાં 13 મજૂરો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ મજૂરોને બીએન દેસાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું હતું. 

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે આ ફ્લાઈઓવર બની રહ્યો હતો. તેનો એક હિસ્સો શુક્રવારે સવારે આશરે 4:40 કલાકે નીચે ધસી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 13 મજૂરો ઘાયલ થયા હતા. ડીસીપી મંજૂનાથ સિંઘે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં કોઈ મજૂર લાપતા નથી અને કોઈનો જીવ નથી ગયો. હાલ આ દુર્ઘટના કયા કારણથી બની તેની તપાસ ચાલુ છે. 

મુંબઈ સ્ક્રેપયાર્ડમાં આગ હોનારત

તેના પહેલા શુક્રવારે પરોઢે જ મુંબઈના માનખુર્દ વિસ્તારમાં એક સ્ક્રેપ યાર્ડમાં ભીષણ આગ લાગી હતી.ફાયર બ્રિગેડની 6 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવા પ્રયત્ન કર્યો હતો. 

Share: