મન કી બાતનો 100મો એપિસોડ શરૂ, પીએમ મોદીએ કહ્યું ખરેખર તમે લોકો અભિનંદનના હકદાર છો

મન કી બાતનો 100મો એપિસોડ શરૂ, પીએમ મોદીએ કહ્યું ખરેખર તમે લોકો અભિનંદનના હકદાર છો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ હેઠળ દેશવાસીઓને સંબોધન શરૂ કરી દીધું છે. વડાપ્રધાન મોદીના મન કી બાત કાર્યક્રમના આ 100મા એપિસોડની મેગા તૈયારીઓ કરાઈ હતી. દેશ નહીં પણ વિદેશમાં પણ અનેક જગ્યાએ તેનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. લંડનથી લઈને યુએનના હેડક્વાર્ટર સુધી આ કાર્યક્રમનું પ્રસારણ થઈ રહ્યું છે. ભાજપ તેનો મેગા ઈવેન્ટ બનાવી રહ્યો છે. મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું ખરેખર તમે લોકો અભિનંદનના હકદાર છો.

સેલ્ફી વીથ ડોટર એક મોટું અભિયાન બની ગયું – પીએમ મોદી

સેલ્ફી વિથ ડોટર અભિયાનનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, તે દેશથી વિદેશમાં ઘણું ચાલ્યું હતું. તે સેલ્ફીનો મુદ્દો ન હતો, તે દીકરીઓ સાથે સંબંધિત હતો જેમાં લોકોએ ભવ્ય રીતે ભાગ લીધો હતો.

આ કોઈ કાર્યક્રમ નથી પણ શ્રદ્ધા, પૂજા છે

વડાપ્રધાન મોદીનો મન કી બાત કાર્યક્રમ આજે 100 એપિસોડ પૂરા કરશે. દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થતો આ કાર્યક્રમ લોકોને પસંદ આવે છે. આ ઐતિહાસિક એપિસોડને યાદગાર બનાવવા માટે દેશના વિવિધ સ્થળોએ લાઈવ પ્રદર્શિત કરવામાં આવશે અને કરોડો લોકો તેને લાઈવ સાંભળી રહ્યા છે. પીએમ મોદીએ દેશને સંબોધતા કહ્યું કે આ કાર્યક્રમે મને તમારી સાથે જોડ્યો. આ એક એવો કાર્યક્રમ બન્યો કે જેના દ્વારા હું તમારા વિચારો અને વિચારોથી વાકેફ થઈ શકું. તમારા સંદેશાઓ મારા સુધી પહોંચતા હતા. મને એવું પણ ન લાગ્યું કે હું તામારાથી દૂર છું. મારા માટે આ કોઈ કાર્યક્રમ નથી પણ શ્રદ્ધા, પૂજા છે.

દર મહિનાના છેલ્લા રવિવારે કરે છે મન કી બાત 

વડાપ્રધાન મોદીના મન કી બાત કાર્યક્રમની શરૂઆત 3 ઓક્ટોબર 2014ના રોજ કરાઈ હતી. તેના બાદથી દર મહિનાના છેલ્લા રવિવારે આ કાર્યક્રમના નવા એપિસોડનું પ્રસારણ કરવામાં આવે છે.

Share: