મણિપુરમાં હિંસા વચ્ચે ટોચના ઉગ્રવાદી સંગઠનોનું સ્વતંત્રતા દિવસની ઉજવણીના બહિષ્કારનું આહ્વાન

મણિપુરમાં હિંસા વચ્ચે ટોચના ઉગ્રવાદી સંગઠનોનું સ્વતંત્રતા દિવસની ઉજવણીના બહિષ્કારનું આહ્વાન

image : IANS

મણિપુરમાં જાતીય હિંસા વચ્ચે સાત ઉગ્રવાદી સંગઠનોના ટોચના એકમે શનિવારે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમનો બહિષ્કાર કરવા આહ્વાન કર્યું. આ ઉપરાંત 15 ઓગસ્ટે 17 કલાક માટે સામાન્ય બંધનું આહ્વાન પણ કર્યું હતું.

કોરકોમએ બહાર પાડ્યું નિવેદન 

એક નિવેદનમાં પ્રતિબંધિત ગેરકાયદે સમૂહોના ટોચના એકમ કોરકોમએ કહ્યું કે 15 ઓક્ટોબર 1949ના રોજ મણિપુરના ભારતમાં વિલય સાથે રાજકીય સ્થિતિમાં અચાનક પડતીનું પાસું આવ્યું. જેના દ્વારા સંપ્રભુ મણિપુરને ફક્ત એક મુખ્ય કમિશનરના પ્રાંતમાં રૂપાંતરિત કરી દેવાયું.  1950માં ભાગ ‘સી’ રાજ્યથી મણિપુરને 1956માં એક કેન્દ્રશાસિત પ્રદેશમાં રૂપાંતરિત કરાયું હતું. 

હિંસાનું કારણ જણાવ્યું 

નિવેદનમાં જણાવ્યું કે ભારતીય ઔપનિવેશિક શાસને ન ફક્ત સમગ્ર મણિપુરમાં કુખ્યાત આફસ્પા અને અન્ય કઠોર કાયદા લાગુ કર્યા પણ એક વિભાજનકારી નીતિ પણ યથાવત્ રાખી. અનેક જાતીય સમૂહો વચ્ચે અવારનવાર હિંસાના પરિણામ સ્વરૂપે હવે અનિયંત્રિત જાતીય હિંસાનો દોર શરૂ થઈ ગયો છે. નિવેદનમાં જણાવ્યું કે ગેરકાયદે મણિપુરની વિલય સમજૂતી, 1949એ  મણિપુરના સંપ્રભુ ઈતિહાસને ભૂંસી નાખ્યો છે. 

કોરકોમમાં કયા કયા સંગઠનો છે સામેલ 

કોરકોમ હેઠળ ઉગ્રવાદી સંગઠનોમાં કાંગલેઈપાક કમ્યુનિસ્ટ પાર્ટી, કાંગલેઈ યાવોલ કન્ના લૂપ, પીપલ્સ રેવોલ્યૂશનરી પાર્ટી ઓફ કાંગલેઈપાક, પ્રીપાક-પ્રો, રેવોલ્યૂશનરી પીપલ્સ ફ્રન્ટ, પીપલ્સ લિબરેશન આર્મી અને યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ સામેલ છે. 

Share: