×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભગવાન મોકો આપશે તો બધી મદરેસાઓ બંધ કરાવી દઈશ, યુપીના મંત્રીનુ વિવાદિત નિવેદન


નવી દિલ્હી,તા.25.નવેમ્બર,2021

યુપીમાં યોગી સરકારના મંત્રીએ વધુ એક વખત વિવાદાસ્પદ નિવેદન આપીને મદરેસાઓને ટાર્ગેટ કરી છે.

યુપીમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે શરુ થઈ ગયેલા ચૂંટણી પ્રચાર વચ્ચે સરકારના શ્રમ મંત્રી ઠાકુર રઘુરાજ સિંહે ફરી મુસ્લિમ મદરેસાઓ અંગે કહ્યુ છે કે, જો ભગવાન મને તક આપશે તો માત્ર યુપી જ નહીં આખા દેશની મદરેસાઓ બંધ કરી દઈશ.કારણકે મદરેસાઓ હવે આતંકીઓનો અડ્ડો બની રહી છે અને તેમાં તાલીમ લઈને નિકળેલા વ્યક્તિ આતંકવાદી બનતા હોય છે.તેમની વિચારધારા પણ આતંકી જેવી હોય છે.કારણકે કાશ્મીરનો આતંકવા મન્નાન વાણી પણ અલીગઢની મદરેસાઓમાં ભણવા માટે આવ્યો હતો.

યુપીમાં આ પ્રકારના ભડકાઉ નિવેદનો અગાઉ પણ બીજા નેતાઓ આપી ચુકયા છે.યુપીની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે આ પ્રકારના નિવેદનો આપનારા નેતાઓનો રાફડો ફાટે તો પણ નવાઈ નહીં હોય.