×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પીએમ મોદીને મળો ત્યારે ખેડૂતો આંદોલન અંગે પણ ચર્ચા કરજો, રાકેશ ટિકૈતની જો બાઈડનને અપીલ

નવી દિલ્હી,તા.24 સપ્ટેમ્બર 2021,શુક્રવાર

પીએમ નરેન્દ્ર મોદી આજે રાત્રે વોશિંગ્ટનમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરવાના છે.

આ દરમિયાન ખેડૂત આગેવાન અને ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે સોશિયલ મીડિયા પર બાઈડનને અપીલ કરી છે કે, પીએમ મોદી સાથે ખેડૂતોના પ્રશ્નો અંગે પણ તમે ચર્ચા કરજો.

રાકેશ ટિકૈતે ટ્વિટર પર લખ્યુ હતુ કે, ભારતીય ખેડૂતો પીએમ મોદીની સરકારના નવા કૃષિ કાયદાઓ સામે દેખાવો કરી રહ્યા છે. અગિયાર મહિનામાં આ દેખાવો દરમિયાન 700 ખેડૂતોના જીવ ગયા છે અને આ કાળા કાયદા પાછા ખેંચાય તે જરૂરી છે. પીએમ મોદી સાથે મિટિંગ કરો તો અમારા મુદ્દા પર પણ ધ્યાન આપજો.

ઉલ્લેખનીય છે કે, ભારતીય સમય પ્રમાણે આજે રાત્રે સાડા આઠ વાગ્યે પીએમ નરેન્દ્ર મોદી વ્હાઈટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનને  મળવાના છે. બંને નેતાઓ વચ્ચે થનારી આ પહેલી બેઠક હશે.