દેશમાં 20 દિવસ બાદ નવા કેસ 6 હજારથી નીચે, 13 દિવસ બાદ એક્ટિવ કેસ 50 હજારથી ઓછા નોંધાયા

દેશમાં 20 દિવસ બાદ નવા કેસ 6 હજારથી નીચે, 13 દિવસ બાદ એક્ટિવ કેસ 50 હજારથી ઓછા નોંધાયા
Image : Pixabay

દેશમાં સક્રિય કેસ સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 5,874 નવા કેસ નોંધાયા છે. આ સાથે 8,148 લોકો કોરોનાથી સાજા થયા છે. સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 4,43,64,841 થઈ ગઈ છે. દેશમાં 20 દિવસ બાદ નવા કેસ 6 હજારથી નીચે અને 13 દિવસ બાદ એક્ટિવ કેસ 50 હજારથી ઓછા નોંધાયા છે. 

દેશમાં સક્રિય કેસ 0.11 ટકા 

ભારતમાં સક્રિય કેસની સંખ્યા 49,015 છે. હવે દેશમાં સક્રિય કેસ 0.11 ટકા છે. કોરોના દર્દીઓનો રિકવરી રેટ હાલમાં 98.71 ટકા છે. દેશમાં કોરોનાના 3,167 ડોઝ આપવામાં આવ્યા હતા. દૈનિક પોઝિટિવ દર 3.31 ટકા છે. સાપ્તાહિક પોઝિટિવ દર 4.25 ટકા છે. દેશમાં ગઈકાલે 7,171 નવા કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાનો દૈનિક પોઝિટવ દર 3.69 ટકા રહ્યો હતો. દેશમાં  27 એપ્રિલે કોવિડ-19ના 9,355 નવા કેસ નોંધાયા હતા. ભારતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 57,410 હતી. બીજી તરફ રિકવરી રેટની વાત કરીએ તો તે 98.69 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 12,932 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 20 દિવસ બાદ 6 હજારથી ઓછા નવા કેસ મળી આવ્યા છે. અગાઉ 10 એપ્રિલે 5,676 નવા કેસ મળી આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં મહામારીને કારણે 25 લોકોના મોત થયા છે. 

દિલ્હીમાં દર્દીઓ ઘરે જ સારવાર કરાવી રહ્યા છે

દિલ્હીમાં 27 એપ્રિલના રોજ કોરોના વાયરસના સંક્રમણના 1,040 નવા કેસ નોંધાયા હતા અને તેના કારણે સાત લોકોના મોત થયા હતા. આ સાથે સંક્રમણ દર 21.16 ટકા રહ્યો હતો. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં કોવિડ-19ના નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમણના કુલ કેસોની સંખ્યા વધીને 20,36,196 થઈ ગઈ છે. સાત દર્દીઓના મૃત્યુ બાદ મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા વધીને 26,613 થઈ ગઈ છે. સાત મૃત્યુમાંથી ત્રણમાં કોવિડ -19 મૃત્યુનું પ્રાથમિક કારણ ન હતું જ્યારે બે દર્દીઓમાં સંક્રમણ આકસ્મિક રીતે મળી આવ્યો હતો. રાજધાનીમાં કોવિડ -19 માટે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 4,708 થઈ ગઈ છે. આ દર્દીઓમાંથી 3,384 દર્દીઓ ઘરે જ સારવાર કરાવી રહ્યા છે.

Share: