દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં 44 ટકાનો વધારો થયો, એક્ટિવ કેસ 61 હજાર, 29ના મોત

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં 44 ટકાનો વધારો થયો, એક્ટિવ કેસ 61 હજાર, 29ના મોત
Image : Pixabay

દેશમાં કોરોનાના નવા કેસમાં ફરી એકવાર તેજી નોંધાઈ છે. ગઈકાલની સરખામણીમાં આજે નવા કેસોમાં 44 ટકાનો વધારો થયો છે. જો કે એક્ટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આજે દેશમાં 9,629 નવા કેસ નોંધાયા હતા જ્યારે ગઈકાલે આ આંકડો 6,660 હતો. આ ઉપરાંત સક્રિય કેસ ઘટીને 61,013 થઈ ગયા છે જે ગઈકાલે 63,380 હતા.

દેશમાં 24 કલાકમાં 29 લોકોના મોત થયા

આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં 29 મૃત્યુ નોંધાયા સાથે મૃત્યુઆંક વધીને 5,31,398 થયો છે. આ 29 મૃત્યુમાંથી દિલ્હીમાં છ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ત્રણ-ત્રણ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં બે-બે અને ઓડિશા, ગુજરાત અને છત્તીસગઢમાં એક-એક મૃત્યુ નોંધાયા હતા. કેરળમાં દસ લોકોના મોત થયા હતા. એક્ટિવ કેસલોડમાં કુલ કોવિડ-19 કેસના 0.14 ટકાનો સમાવેશ થાય છે.

દિલ્હીમાં સંક્રમણના કારણે છ લોકોના મોત થયા 

ગઈકાલે દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના 1,095 નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણના કારણે છ લોકોના મોત થયા હતા. સંક્રમણ દર 22.74 ટકા રહ્યો હતો. રાષ્ટ્રીય રાજધાનીના આરોગ્ય વિભાગ દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. દિલ્હીમાં કોરોનાના કુલ 7,975 માંથી હાલમાં 318 દર્દીઓ દાખલ છે. અગાઉ સોમવારે દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના 689 કેસ નોંધાયા હતા અને ત્રણ લોકોના મોત થયા હતા. સંક્રમણ દર 29.42 ટકા હતો.

Share: