તમામનો સાથ-તમામનો વિકાસ-તમામનો વિશ્વાસ અને તેમનો બકવાસઃ કોંગ્રેસનો કટાક્ષ

તમામનો સાથ-તમામનો વિકાસ-તમામનો વિશ્વાસ અને તેમનો બકવાસઃ કોંગ્રેસનો કટાક્ષ

નવી દિલ્હી,તા.15 ઓગસ્ટ 2021,રવિવાર

દેશના 75મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કરેલા ભાષણ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કટાક્ષ કર્યો છે.

પીએમ મોદીએ ભાષણ દરમિયાન નવો મંત્ર આપતા કહ્યુ હતુ કે, બધાનો સાથ-બધાનો વિકાસ અને બધાનો વિશ્વાસ અને હવે તેમાં બધાનો પ્રયાસ પણ જોડાયો છે.

જેના પર જયરામ રમેશે કહ્યુ હતુ કે, બધાનો સાથ-બધાનો વિશ્વાસ-બધાનો પ્રયાસ અને તેમનો(પીએમ મોદીનો)બકવાસ.

ઉલ્લેખનીય છે કે, ભાજપે 2014ની લોકસભા ચૂંટણી ટાણે તમામનો સાથ અને તમામના વિકાસનો મંત્ર આપ્યો હતો અને તેમાં 2019માં બધાનો વિશ્વાસ પણ જોડવામાં આવ્યો હતો. આ જ મંત્રને પીએમ મોદીએ બધાનો પ્રયાસ શબ્દ જોડીને વધારે લાંબો બનાવ્યો છે. સાથે સાથે તે્મણે કહ્યુ હતુ કે, આ સંકલ્પથી જ આપણા તમામ લક્ષ્ય પૂરા થશે.

તેમણે કહ્યુ હતુ કે, 25 વર્ષમાં આપણે એવા ભારતનુ નિર્માણ કરવાનુ છે જ્યાં અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય અને આપણે પણ બીજા કરતા ક્યાંય પાછા ના પડીએ. આ સંકલ્પને પૂરો કરવા માટે પરિશ્રમ અને પરાક્રમ બંનેની જરૂર છે. આપણે આ લક્ષ્યને હાંસલ કરવા અત્યારથી કામ કરવાનુ છે. આપણી પાસે ગુમાવવા માટે એક પણ સેકન્ડ નથી. આ જ સાચો સમય છે.

પીએમ મોદીએ સાથે કહ્યુ હતુ કે, આપણે દેશને બદલવાનો છે અને સાથે સાથે એક નગારિક તરીકે આપણે જાતે બદલાવાનુ છે.

Share: