ટીમ ઈન્ડિયામાં ભડકો? સાઉથ આફ્રિકા સામે વન-ડે સિરિઝમાંથી કોહલીએ પોતાનુ નામ પાછુ ખેંચ્યુ

ટીમ ઈન્ડિયામાં ભડકો? સાઉથ આફ્રિકા સામે વન-ડે સિરિઝમાંથી કોહલીએ પોતાનુ નામ પાછુ ખેંચ્યુ

નવી દિલ્હી,તા.14.ડિસેમ્બર,2021

સાઉથ આફ્રિકાના પ્રવાસે જતા પહેલા જ ટીમ ઈન્ડિયામાં ભડકો થયો છે.

ટેસ્ટ સિરિઝમાંથી રોહિત શર્મા ટ્રેનિંગ કેમ્પમાં થયેલી ઈજાના કારણે બહાર થઈ ગયો છે ત્યારે વિરાટ કોહલીએ અંગત કારણસર વન ડે સિરિઝમાંથી પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ છે.

ક્રિકેટ બોર્ડે કોહલીને વન ડે ટીમના કેપ્ટન તરીકે હટાવી દીધા બાદ કોહલીએ વન ડે સિરિઝ નહીં રમવાનો નિર્ણય કર્યો હોવાથી ટીમ ઈન્ડિયામાં બધુ બરાબર નથી ચાલી રહ્યુ તે સ્પષ્ટ થઈ ગયુ છે.જોકે કોહલીએ બોર્ડને એવુ કારણ આપ્યુ છે કે, 11 જાન્યુઆરીએ મારી દીકરી વામિકાનો પહેલો બર્થ ડે છે અને તેને હું પરિવાર સાથે સેલિબ્રેટ કરવા માંગુ છું.

કોહલી ત્રીજી ટેસ્ટ બાદ પરિવાર સાથે સમય વીતાવવા માંગે છે તેવુ કારણ રજૂ કરાયુ છે પણ ભારતીય ટીમ માટે અને આ સારા સંકેત નથી.

Share: