×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જેસિકા લાલની બહેન સબરીના લાલનું અવસાન, લાંબા સમયથી હતી બીમાર


- 1999ના વર્ષમાં દિલ્હીની એક રેસ્ટોરામાં જેસિકા લાલની હત્યા થઈ હતી

નવી દિલ્હી, તા. 16 ઓગષ્ટ, 2021, સોમવાર

બહુચર્ચિત જેસિકા લાલ કેસમાં હત્યારાઓને સજા અપાવવા માટે લાંબી કાયદાકીય લડાઈ લડનારી તેની બહેન સબરીના લાલનું રવિવારે સાંજે અવસાન થયું છે. સબરીના લાલને લિવર સંબંધિત બીમારી હતી અને ગુરૂગ્રામ ખાતેની પારસ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. પરિવારજનોના કહેવા પ્રમાણે ગત રાત્રિએ તેની તબિયત લથડતા તેને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવી હતી અને રવિવારે સાંજે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. 

સબરીનાની ઉંમર આશરે 50 વર્ષ હતી. તે લિવર સિરોસિસથી પીડાઈ રહી હતી. તેના ભાઈએ જણાવ્યું કે, સબરીના બીમાર હતી અને તે હોસ્પિટલ આવતી-જતી રહેતી હતી. શનિવારે તેની તબિયત બગડી ગઈ અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ગત વર્ષે એક ઈન્ટરવ્યુ દરમિયાન સબરીનાએ કહ્યું હતું કે, તે મહિલાઓને ન્યાય અપાવવા માટે મદદ કરવા પોતાની બહેનની યાદમાં એક ફાઉન્ડેશન શરૂ કરવા અંગે વિચારી રહી છે. 

1999માં થઈ હતી જેસિકા લાલની હત્યા

1999ના વર્ષમાં દિલ્હીની એક રેસ્ટોરામાં જેસિકા લાલની હત્યા કરવામાં આવી હતી. સબરીનાએ જેસિકાને પોતાની સૌથી નજીકની મિત્ર ગણાવતા કહ્યું હતું કે, તે દરરોજ તેને યાદ કરે છે. સબરીનાના કહેવા પ્રમાણે જેસિકા ખુશ અને સકારાત્મક દૃષ્ટિવાળી હતી. આ ફક્ત તેના જન્મદિવસ કે ડેથ એનિવર્સરીની વાત નથી, તે એને દરરોજ યાદ કરે છે. 

સબરીનાએ કહ્યું હતું કે, તેના ઘરમાં જેસિકાની ઘણી બધી તસવીરો છે. એવું નથી કે, તેને જેસિકાને યાદ કરવા માટે તે તસવીરોની જરૂર છે. પરંતુ એ તસવીરો તેને જેસિકાની યાદ અપાવે છે.