ચીનની નવી ચાલ! ભારતના બે પત્રકારોના વિઝા ફ્રીઝ કર્યા, બંને તાજેતરમાં અંગત કારણોસર ભારત આવ્યા હતા

ચીનની નવી ચાલ! ભારતના બે પત્રકારોના વિઝા ફ્રીઝ કર્યા, બંને તાજેતરમાં અંગત કારણોસર ભારત આવ્યા હતા

image : Wikipedia 

ચીને ભારતના બે પત્રકારોને તેના દેશમાં પ્રવેશતા અટકાવી દીધા છે. ચીન તરફથી આ પગલું એવા સમયે ભરવામાં આવ્યું છે જ્યારે અમુક અઠવાડિયા પહેલા ભારતે પાડોશી દેશના એક પત્રકારને દેશ છોડવાનો નિર્દેશ આપ્યો હતો. 

બંને પત્રકારો અલગ અલગ સંસ્થાનો સાથે જોડાયેલા છે

બેજિંગમાં સરકારી પ્રસાર ભારતીના પ્રતિનિધિ અંશુમન મિશ્રા અને ધ હિન્દુના સંવાદદાતા અનંત કૃષ્ણનને ચીનના અધિકારીઓએ જણાવ્યું કે તેઓ પાછા ન આવે કેમ કે તેમના વિઝા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. મિશ્રા અને કૃષ્ણન બંને તાજેતરમાં અંગત કારણોસર ભારત આવ્યા હતા. બંને પત્રકારો અલગ અલગ સંસ્થાનો સાથે જોડાયેલા છે. જોકે હાલ તો આ મામલે ભારત સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. 

Share: