ગુજરાતમાં આજે કોરોનાનાં 16 નવા કેસ, 18 દર્દી સાજા થયા, રિકવરી રેટ 98.76 ટકા

ગુજરાતમાં આજે કોરોનાનાં 16 નવા કેસ, 18 દર્દી સાજા થયા, રિકવરી રેટ 98.76 ટકા

ગાંધીનગર, 26 ઓગસ્ટ 2021 ગુરૂવાર

રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે હાંફતી જણાય છે, જો કે કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે, જેથી સાવચેતી રાખવી જરૂરી છે, રાજ્યમાં આજે  કોરોનાનાં 16 નવા કેસ નોંધાયા છે. જ્યારે 18 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.

હાલ રાજ્યમાં 157 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે, તો 153 દર્દીઓની હાલત સ્ટેબલ છે, જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી તેથી  કુલ મૃત્યુઆંક 10080 પર સ્થિર છે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,126 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા છે. 

રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે જેમ કે, અમદાવાદ કોર્પોરેશનમાં 3, દાહોદ 3, વડોદરા કોર્પોરેશનમાં 3, કચ્છ 2, સુરત કોર્પરેશન 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, રાજકોટ કોર્પોરેશન 1 અને સુરતમાં 1 કેસનો સમાવેશ થાય છે. 

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે રસીના 5,45,164 ડોઝ લગાવવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 4,45,23,577 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

Share: