×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાથી મૃત્યુઃ સુપ્રીમ કોર્ટે વળતર જાહેર કરવા માટે આપી મંજૂરી, કહ્યું- દાવાના 30 દિવસની અંદર મળે ધનરાશિ


- કોઈ પણ રાજ્ય એ આધાર પર 50 હજાર રૂપિયાનો લાભ આપવા ઈન્કાર નહીં કરી શકે કે, મૃત્યુ પ્રમાણ પત્રમાં મૃત્યુનું કારણ કોવિડ-19 નથી

નવી દિલ્હી, તા. 04 ઓક્ટોબર, 2021, સોમવાર

સુપ્રીમ કોર્ટે સોમવારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 50 હજાર રૂપિયાનું વળતર આપવા માટેના કેન્દ્ર સરકારના નિર્દેશને મંજૂરી આપી દીધી છે. કોર્ટના કહેવા પ્રમાણે મૃતકના પરિવારજનોને મળતું આ વળતર અન્ય કલ્યાણ યોજનાઓથી અલગ હશે. કોર્ટે સરકારને દાવાના 30 દિવસની અંદર મૃતકના પરિવારને વળતર ચુકવવા નિર્દેશ આપ્યો છે. આ વળતર રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન ભંડોળમાંથી આપવામાં આવશે. 

જસ્ટિસ એમઆર શાહે સોમવારે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, મૃતકના પરિવારજનને 50 હજાર રૂપિયાની રકમ ચુકવવામાં આવે અને તે કેન્દ્ર અને રાજ્ય દ્વારા વિવિધ પરોપકારી યોજનાઓ અંતર્ગત ચુકવવામાં આવતી રકમ કરતા વધારે હશે. 

જસ્ટિસ શાહે જણાવ્યું કે, કોઈ પણ રાજ્ય એ આધાર પર 50 હજાર રૂપિયાનો લાભ આપવા ઈન્કાર નહીં કરી શકે કે, મૃત્યુ પ્રમાણ પત્રમાં મૃત્યુનું કારણ કોવિડ-19 નથી. મૃત્યુનુ કારણ સુધારવા જિલ્લાધિકારી સુધારાત્મક પગલા ભરશે. જિલ્લા સ્તરીય સમિતિનું વિવરણ પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત કરવામાં આવશે. આ ચુકવણી આપત્તિ રાહત ભંડોળમાંથી થશે અને વળતરની રકમની ચુકવણી આવેદનના 30 દિવસની અંદર કરવાની રહેશે.