કાનપુર અગ્નિકાંડમાં પીડિતાના પરિવારે 5 કરોડ વળતર, બે સભ્યોને નોકરી સાથે આજીવન પેન્શનની કરી માંગ

કાનપુર અગ્નિકાંડમાં પીડિતાના પરિવારે  5 કરોડ વળતર, બે સભ્યોને નોકરી સાથે આજીવન પેન્શનની કરી માંગ

Image: screem grab Twitter

કાનપુર દેહાતમાં મા-દીકરીને સળગાવી દેવાના મામલામાં 11 નામ સાથે અને લગભગ 12 અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આમાં એસડીએમ, સ્ટેશન ઈન્ચાર્જ, લેખપાલ અને JCB ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં એસડીએમ, પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ, લેખપાલને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે.

શું હતી આખી ઘટના?

કાનપુર દેહાતના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમણ તોડવા માટે વહીવટી અને પોલીસની ટીમ પહોંચી હતી જ્યાં કબજેદાર અને વહીવટી પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેના કારણે કબજાવાળી જમીન પર બનેલા ઝૂંપડામાં રહેતા કૃષ્ણ ગોપાલ દીક્ષિતની પત્ની અને પુત્રીનું ઝૂંપડામાં આગ લાગવાથી મૃત્યુ નીપજ્યું હતું. એવો આરોપ છે કે, અતિક્રમણ તોડી પાડવાને કારણે વહીવટી અધિકારીઓએ પરિવારને બળજબરીથી ઝૂંપડામાં બંધ કરી દીધો અને આગ લગાડી દીધી, જેના કારણે ઝૂંપડામાં ફસાયેલી માતા-પુત્રીનું આગને કારણે મૃત્યુ થયું હતું.

આ ઘટના બાદ મંડોલી ગામમાં ગ્રામજનોએ પોલીસ અને વહીવટીતંત્ર પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા તરત જ કાનપુર રેન્જના આઈજી અને એડીજી ઝોન, ડિવિઝનલ કમિશનર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ ગામને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું.

પીડિત પરિવારે 5 કરોડ વળતરની માંગણી કરી હતી
પીડિત પરિવારે કમિશનર સમક્ષ 5 મુદ્દાનો માંગણી પત્ર મૂક્યો છે, જેમાં પરિવારે ઘરના બે પુત્રોને 5 કરોડ વળતર અને સરકારી નોકરીની માંગણી કરી છે. આ સાથે તેમણે સીએમ યોગી આદિત્યનાથ સાથે તાત્કાલિક અસરથી મુલાકાતની પણ માંગણી કરી છે જેથી તેઓ ન્યાય માટે અરજી કરી શકે. પરિવારે પોતાના માટે આજીવન પેન્શનની માંગ કરી છે.

Share: