×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આ ટાપુનાં લોકોએ તિરંગો લહેરાવવાનો કર્યો વિરોધ, CM સાવંતે કહ્યું ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક

ગોવા, 14 ઓગસ્ટ 2021 શનિવાર

ગોવાનાં સાઓ જૈસિંટો ટાપુ પર તિરંગો લહેરાવવા અંગે વિવાદ સર્જાયો છે, 15 મી ઓગસ્ટે સ્થાનિક લોકો દ્વારા વાસ્કોમાં સેંન્ટ જૈસિંટો દ્વિપ પર ભારતિય નૌકાદળનાં ધ્વજ લહેરાવવાનાં કાર્યક્રમનો વિરોધ કરાયો. આ દરમિયાન મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે કડક વલણ બતાવતા કહ્યું કે આ પ્રકારનાં કૃત્યને સહન કરી શકાશે નહીં. અને તેમણે ગૃહ વિભાગને સુચના આપી કે આ મુદ્દાને તાત્કાલિક ધોરણે સમાપ્ત કરવામાં આવે.

પ્રમોદ સાવંતે ટ્વીટ કરીને કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે કે સાઓ જૈસિંટો ટ્વીપ પર કેટલાક લોકો સ્વતંત્રતા દિવસ પર ભારતીય નૌ સેના દ્વારા ધ્વજ ફરકાવવા સામે વાધો દર્શાવ્યો. હું આની નિંદા કરૂ છું અને રેકોર્ડમાં કહેવા માંગુ છું કે મારી સરકાર કોઇ પણ પ્રકારનાં કૃત્યોને સહન કરશે નહીં

તેમણે પોતાના આગલા ટ્વિટમાં કહ્યું  કે હું ભારતીય નૌકા દળને નક્કી કરેલા સમયે ધ્વજ ફરકાવવાની વિનંતી કરૂ છું, અને ગોવા પોલીસ દ્વારા પુર્ણ સહયોગનું આશ્વાશન આપું છું, ભારત વિરોધી પ્રવૃતિઓનાં આ પ્રયાસને કડક હાથે લેવામાં આવશે, હંમેશા રાષ્ટ્ર પ્રથમ રહેશે.

જો કે ભારતીય નૌકાદળે દક્ષિણ ગોવામાં સાઓ સાઓ જૈસિંટો દ્વિવ પર રાષ્ટ્રિય ધ્વજ ફરકાવવાનો પોતાનો કાર્યક્રમ સ્થાનિક લોકોનાં વિરોધ બાદ રદ્દ કર્યો છે, આ ટાપુ વાસ્કો શહેરની નજીક છે.